મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના સેવાભાવી ૬૭ વર્ષીય ડો. હસ્તીબેન ફર્સ્ટ ક્લાસ સાથે કથક નૃત્ય વિશારદની પદવી મેળવી


SHARE







મોરબીના સેવાભાવી ૬૭ વર્ષીય ડો. હસ્તીબેન ફર્સ્ટ ક્લાસ સાથે કથક નૃત્ય વિશારદની પદવી મેળવી

"ઉમર થઇ ગઇહવે શું થાય" તેવા નબળા વિચાર કરનારાઓ માટે મોરબીના ૬૭ વર્ષીય ડો. હસ્તીબેન એક ઉત્તમ ઉદાહરણ છે કેમ કે, ખુબ જ જાણીતી ઉક્તિ છે "કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથીઅડગ મનના મુસાફિર ને હિમાલય પણ નડતો નથી." તેને તેઓએ સાર્થક કરેલ છે મોરબીના જાણીતા સેવાભાવી ૬૭ વર્ષીય ડો. હસ્તીબેન મહેતાએ પોતાની યશકલગીમાં એક વધુ છોગું ઉમેરયુ છે અને તેમને બાળપણથી જ કલાસાહિત્યસંગીતનો ખુબ શોખ તેમાં પણ શાસ્ત્રીય નૃત્યનો શોખ અનહદ હતો. પણ આ વાત છ દાયકા પહેલાની અને ત્યારે તે સમય આટલા સંસાધનોમાર્ગદર્શન આપનારાઓકે પછી કોઇ પ્રસ્તુતિઓ જોઈને કઈક શીખી શકાય તેવા પણ માધ્યમો નહિવત હતા માત્ર વાંચન કે સમાચાર પત્રો દ્વારા જ જાણકારી એ પણ ખુબ ઓછી મેળવી શકાતી. છતાં ધડકનો દ્વારા સદા યાદ અપાવતો એ ક્લાસિકલ નૃત્યનો શોખ અકબંધ જ રહ્યો હતો જેથી કરીને કૌટુંબિકસામાજિકઆર્થિક તમામ જવાબદારીઓ પૂરી થવા આવી ત્યારે એ સપનાને પૂરું કરવા માટે ક્લાસિકલ નૃત્ય શીખવાનું શરૂ કર્યું હતું તેઓએ ૬૦ વર્ષે નૃત્ય શીખવાનું શરૂ કર્યું હતું અને પછી તો પાછું વળીને જોયુ જ નથી જેથી કરીને તાજેતરમાં લેવામાં આવેલ ક્લાસિકલ નૃત્યની પરીક્ષામાં ડો. હસ્તીબેન મહેતા ફર્સ્ટ કલાસ સાથે ઉત્તીર્ણ થયેલ છે અને નૃત્ય વિશારદ થઈ ગયા છે અને આ સપનાને સાકાર કરવા માટે ગુરૂગણસહ અધ્યાઇ મહેશ્વરીબેન અંતાણી સહિતનાઓનો તેમણે આભાર વ્યક્ત કરેલ છે






Latest News