Morbi Today
અખીલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે પ્રભુચરણદાસજીની નિમણુંક
SHARE
અખીલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે પ્રભુચરણદાસજીની નિમણુંક
અખીલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ પ્રભુચરણ દાસજીની નિમણુક.ભારત દેશમાં સંતોનું અને મહંતોનું અનેરુ સ્થાન છે. ત્યારે હળવદના કવાડીયાના પાટીયા પાસે આવેલા શ્રી પ્રભુચરણ આશ્રમના મહંત પ્રભુચરણ દાસજી મહારાજને અખિલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણુક કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય સંત સમિતિ ભારતભરમાં કાર્યરત છે અને 137 હિન્દુ સંપ્રદાયોના પ્રતિનિધિઓથી બનેલું પૂજ્ય સંતોનું વિરાટ મહાન સંમેલન છે. ત્યારે આજે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ કાર્યકારણીની બેઠકમાં સર્વસંમતિથી અખિલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે પ્રભુચરણ દાસજી મહારાજની પસંદગી કરવામાં આવી છે.









