મોરબીમાં ગેસ લીકેજના લીધે ઘરમાં થયો હતો બ્લાસ્ટ: વકીલ સહિત ત્રણ વ્યક્તિઓ રાજકોટ સારવારમાં
મોરબી આહીર સેના દ્વારા પત્રકાર તુષાર બસિયા સામે નોધાયેલ ફરિયાદ રદ કરવાની માંગ
SHARE
મોરબી આહીર સેના દ્વારા પત્રકાર તુષાર બસિયા સામે નોધાયેલ ફરિયાદ રદ કરવાની માંગ
નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ સુરતના સિંગણપોરમાં સગીરા સાથે બનેલી ઘટના બાબતે મીડિયામાં અહેવાલ રજૂ કર્યો હતો ત્યાર બાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે ત્યારે આહીર સેના ગુજરાત દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ફરિયાદ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં સ્થાનિક આગેવાને જણાવ્યુ હતુ કે, નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે જે ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમાં પોક્સો, આઈટી એક્ટ જેવી કલમો લગાવવામાં આવેલ છે જે ફરિયાદને રદ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, આ તુષાર બસિયા તેમજ મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવેલ છે જેથી કરીને આહીર સેના ગુજરાતના પ્રદેશ કોર કમિટી સભ્ય મહેશભાઈ મકવાણા, મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા, મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા સહિતના આગેવાનોએ હાજર રહીને મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ફરિયાદ રદ કરવાની રજૂઆત કરી છે