માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી આહીર સેના દ્વારા પત્રકાર તુષાર બસિયા સામે નોધાયેલ ફરિયાદ રદ કરવાની માંગ


SHARE













મોરબી આહીર સેના દ્વારા પત્રકાર તુષાર બસિયા સામે નોધાયેલ ફરિયાદ રદ કરવાની માંગ

નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ સુરતના સિંગણપોરમાં સગીરા સાથે બનેલી ઘટના બાબતે મીડિયામાં અહેવાલ રજૂ કર્યો હતો ત્યાર બાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે ત્યારે આહીર સેના ગુજરાત દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ફરિયાદ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં સ્થાનિક આગેવાને જણાવ્યુ હતુ કે, નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે જે ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમાં પોક્સો, આઈટી એક્ટ જેવી કલમો લગાવવામાં આવેલ છે જે ફરિયાદને રદ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, આ તુષાર બસિયા તેમજ મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવેલ છે જેથી કરીને આહીર સેના ગુજરાતના પ્રદેશ કોર કમિટી સભ્ય મહેશભાઈ મકવાણા, મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા, મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા સહિતના આગેવાનોએ હાજર રહીને મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ફરિયાદ રદ કરવાની રજૂઆત કરી છે






Latest News