મોરબી જીલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં હોદેદારોની વરણી
મોરબી મહાપાલિકા આપવામાં આવતા હવે આયોજન પૂર્વકના વિકાસને વેગ મળશે: દુર્લભજીભાઈ દેથરીયા
SHARE
મોરબી મહાપાલિકા આપવામાં આવતા હવે આયોજન પૂર્વકના વિકાસને વેગ મળશે: દુર્લભજીભાઈ દેથરીયા
રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યુ હતું કે, મવડાને બ્રેક લાગવાથી મોરબીના વિકાસને બ્રેક લાગી હતી જો કે, હવે મહાપાલિકા મળવાથી આયોજન પૂર્વકનો વિકાસ થશે
ટંકારાના વર્તમાન ધારાસભ્ય અને મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ પત્રકાર પરિષદ રાખી હતી અને જણાવ્યુ હતું કે, છેવાડાના માનવીની સુખાકારીમાં વધારો કરે તેવું બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું છે અને તેમાં મોરબી પાલિકાને મહાપાલિકા આપવામાં આવી છે, મવડાને પુનઃ જીવીત કરવામાં આવેલ છે અને મોરબી જિલ્લાને કૃષિ કોલેજ આપવામાં આવી છે તેથી મોરબીના લોકોને ઘણો ફાયદો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને અગાઉ મોરબી વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (મવડા) અમલમાં મૂકવામાં આવી હતી તેને બ્રેક લાગવાથી મોરબીનો વિકાસ રૂંધાયો હતો તેવો સવાલ પત્રકારોએ કર્યો હતો ત્યારે ધારાસભ્યએ કહ્યું હતું કે સો ટકા મોરબીના વિકાસને બ્રેક લાગી હતી અને મોરબી પાછળ રહી ગયું છે મોરબીનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે જોતાં ટીપી અને ડીપી વગર હવે મોરબીમાં રહેવું મુશ્કેલ બની ગયું છે ત્યારે મહાપાલિક અને મવડા આવવાથી લોકોને ઘણો ફાયદો થશે વધુમાં તેમણે કહ્યું હતું કે, ઘણા લોકો છેલ્લા વર્ષોમાં મોરબીથી રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં રહેવા માટે જતાં રહ્યા છે પરંતુ હવે મહાપાલિકા મળવાથી મોટા શહેરોની જેમ જ મોરબીનો પણ આયોજન પૂર્વકનો વિકાસ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી









