સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીના મોડપર ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ગુપ્ત ભાગે પાટુ અને ખભામાં પાઇપ માર્યો: બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના લતીપર રોડ ઉપર બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના સતાપર ગામની સીમમાં વાડી નજીક જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા આપવામાં આવતા હવે આયોજન પૂર્વકના વિકાસને વેગ મળશે: દુર્લભજીભાઈ દેથરીયા


SHARE









મોરબી મહાપાલિકા આપવામાં આવતા હવે આયોજન પૂર્વકના વિકાને વેગ મળશે: દુર્લભજીભાઈ દેથરીયા

રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યુ હતું કે, મવડાને બ્રેક લાગવાથી મોરબીના વિકાસને બ્રેક લાગી હતી જો કે, હવે મહાપાલિકા મળવાથી આયોજન પૂર્વકનો વિકાસ થશે

ટંકારાના વર્તમાન ધારાસભ્ય અને મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ પત્રકાર પરિષદ  રાખી હતી અને જણાવ્યુ હતું કે, છેવાડાના માનવીની સુખાકારીમાં વધારો કરે તેવું બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું છે અને તેમાં મોરબી પાલિકાને મહાપાલિકા આપવામાં આવી છે, મવડાને પુનઃ જીવીત કરવામાં આવેલ છે અને મોરબી જિલ્લાને કૃષિ કોલેજ આપવામાં આવી છે તેથી મોરબીના લોકોને ઘણો ફાયદો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને અગાઉ મોરબી વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (મવડા) અમલમાં મૂકવામાં આવી હતી તેને બ્રેક લાગવાથી મોરબીનો વિકાસ રૂંધાયો હતો તેવો સવાલ પત્રકારોએ કર્યો હતો ત્યારે ધારાસભ્યએ કહ્યું હતું કે સો ટકા મોરબીના વિકાસને બ્રેક લાગી હતી અને મોરબી પાછળ રહી ગયું છે મોરબીનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે જોતાં ટીપી અને ડીપી વગર હવે મોરબીમાં રહેવું મુશ્કેલ બની ગયું છે ત્યારે મહાપાલિક અને મવડા આવવાથી લોકોને ઘણો ફાયદો થશે વધુમાં તેમણે કહ્યું હતું કે, ઘણા લોકો છેલ્લા વર્ષોમાં મોરબીથી રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં રહેવા માટે જતાં રહ્યા છે પરંતુ હવે મહાપાલિકા મળવાથી મોટા શહેરોની જેમ જ મોરબીનો પણ આયોજન પૂર્વકનો વિકાસ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી 






Latest News