રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખભાઇ પટેલને જેલમાં વીઆઇપી સુવિધા મળતી હોવાની ભોગ બનેલા પરિવારોનો ગંભીર આક્ષેપ


SHARE









મોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખભાઇ પટેલને જેલમાં વીઆઇપી સુવિધા મળતી હોવાની ભોગ બનેલા પરિવારોનો ગંભીર આક્ષેપ

મોરબીની ઝૂલતાપુલ દુર્ઘટનામાં પકડાયેલ ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ હાલમાં મોરબીની જેલમાં છે ત્યારે તેઓને વીઆઇપી સુવિધા મળી રહી છે તેવો આક્ષેપ ઝૂલતાપુલ દુર્ઘટના ભોગ બનેલા પરીવારના લોકોએ કર્યો છે અને જયસુખભાઈ પટેલને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડીજીપી વિકાસ સહાય અને અધિક પોલીસ મહાનિર્દેશક જેલને રજિસ્ટર્ડ એડી કરીને રજૂઆત કરી છે

મોરબીમાં ૩૦/૧૦/૨૨ ના રોજ ઝુલતો પુલ રૂરી પડ્યો હતો જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને તેની ફરિયાદ આધારે ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ સહિતના કુલ મળીને ૧૦ આરોપીને પકડવામાં આવ્યા હતા તે પૈકીનાં ૬ આરોપીના જામીન મંજૂર થઈ ગયેલ છે અને ચાર આરોપી હાલમાં મોરબીની જેલમાં છે ત્યારે ઝૂલતાપુલ દુર્ઘટના ભોગ બનેલા પરીવારના લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે, મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલ રાજકીય વગનો ઉપયોગ કરી જેલ પરિસરમાંથી ગમે ત્યારે બહાર જવાની સુવિધા ભોગવે છે જેથી તેની ટ્રાન્સફર વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરતની કોઈપણ મધ્યસ્થ જેલમાં કરવામાં આવે તે જરૂરી છે અને મોરબીની સબ જેલના છેલ્લા ત્રણ મહિનાના સીસીટીવી ફૂટેજને ચેક કરવામાં આવે તેવી પણ માંગણી કરેલ છે આટલું જ નહીં મોરબી સેશન્સ કોર્ટમાં પણ ઘણીવાર કાર્યવાહી માટે ખાનગી વાહનમાં તેને લઈને આવે છે આમ સ્થાનિક પોલીસ અધિકારી અથવા જેલતંત્રના અધિકારીઓ પરોક્ષ રીતે મદદ કરીને વીઆઈપી સવલત પૂરી પડે છે તેમજ અરજીમાં લખ્યું છે કે, મોરબી સેશન્સ કોર્ટમા કેસની ધીમી ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે. અને આરોપીના મળતિયાઓ પીડિતોને આરોપી વિરુદ્ધ નિવેદન ન આપવા માટે જણાવી રહ્યા છે. તો સાહેદોને ધાકધમકી આપવામાં આવી રહી છે.






Latest News