મોરબી જિલ્લા પંચાયતનું ૧૧૧.૬૦ લાખની પુરાંત વાળું બજેટ મંજૂર: આઠ સભ્યો ગેરહાજર
મોરબીમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરનારા ભાજપના આગેવાનો સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ
SHARE
મોરબીમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરનારા ભાજપના આગેવાનો સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ
મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા ચાર વ્યક્તિઓ કરતાં વધુ વ્યક્તિઓને એકત્રિત થવા ઉપર પ્રતિબંધ મૂકવા કલમ ૧૪૪ નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ થોડા દિવસો પહેલાં મોરબી શહેરના શનાળા રોડ ઉપર જિલ્લા ભાજપ કાર્યાલય પાસે રોડ ઉપર મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિતના અંદાજે ૧૦૦ જેટલા લોકો એકત્રિત થયા હતા અને ત્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું જેથી ભાજપના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાથી મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાનીમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને માજી સભ્યો દ્વારા જિલ્લા કલેકટર તેમજ એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગત તા. ૯ ના રોજ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો દ્વારા મોરબીના સનાળા રોડ ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને જેમાં જિલ્લા કલેકટરના ૧૪૪ ની કલમના જાહેરનામનો ભંગ થયો હતો તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને આ કાર્યક્રમ માટે પોલીસ વિભાગમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી લીધેલ નથી જેથી કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ છે તેમાં દેખાતા આગેવાનો સહિતનાઓની સામે કલેકટરના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે અને ફોજદારી ગુનો નોંધીને આગળની કાર્યવાહી થાય તેવી માંગણી મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવેલ છે.