મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટ રહેતી પરિણીતાનો ગળાફાંસો ખાઈને આપઘાત
મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં વેલેન્ટાઇન ડે નહીં માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઇ
SHARE
મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં વેલેન્ટાઇન ડે નહીં માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઇ
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં વેલેન્ટાઇન ડે ની નહીં પરંતુ માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના જુદાજુદા વર્ગોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ તેના માતા પિતાનું પૂજન કર્યું હતું અને તેઓના આશીર્વાદ મેળવ્યા હતા આ સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે માહિતી આપતા જણાવ્યુ હતું કે, શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં જે બિન જરૂરી દિવસોની ઉજવણીઓ કરવામાં આવે છે તેવી કોઈ ઉજવણી કરવામાં આવે તેના બદલે સાર્થક ઉજવણી કરવામાં આવે તેવા ભાવ સાથે પોતાના માતા પિતાનું પૂજન કરે તેવું આયોજન શાળામાં કરવામાં આવ્યું હતું અને તેમાં ઘણા વાલીઓ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓએ તેમજ તેમના વાલીઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો