મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસની આંશિક કામગીરી : ખોવાયેલા ૬૩ મોબાઈલ શોધીને લોકોને પરત તો કર્યા પણ તસ્કરો ક્યાં..?


SHARE









મોરબીમાં પોલીસની આંશિક કામગીરી : ખોવાયેલા ૬૩ મોબાઈલ શોધીને લોકોને પરત તો કર્યા પણ તસ્કરો ક્યાં..?

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કાબીલેદાદ કામગીરી કરવામાં આવેલ છે.જેમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હુકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.વી.પાતળિયા તથા એએસઆઈ રાજદીપસિંહ રાણા અને ડી-સ્ટાફના એ.પી.જાડેજા, ચકુભાઈ કલોતરા, કિશોરભાઈ મિયાત્રા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, હિતેશભાઈ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઈ લોખિલ, તેજાભાઈ ગરચર અને અરજણભાઈ ગરીયા સહિતના સ્ટાફે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા કે ચોરાયેલા ૬૩ જેટલા મોબાઈલો શોધીને મોબાઇલના મૂળ માલીકોને બોલાવીને પરત આપ્યા હતા.

એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને સતત તેના ઉપર મોનિટરિંગ કરી તેમાં ખોવાયેલા મોબાઈલ કે ચોરાયેલા મોબાઈલના બીલ ઉપરથી તે મોબાઇલ નંબરોને વીઝીટેશનમાં મુકીને તેના આઇપી એડ્રેસ આધારે સર્ચ તપાસ કરીને ૬૩ જેટલા મોબાઈલ ધારકોના ખોવાયેલા કે ચોરાયેલા રૂા.૧૧,૫૧,૩૭૨ ની કિંમતના મોબાઈલો શોધી કાઢીને મૂળ મોબાઇલ માલિકોને સોંપવામાં આવ્યા હતા.જે બદલ મોબાઇલ પરત મળેલ મોબાઈલ ધારકો દ્વારા પોલીસની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી અને પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.પોલીસની આ કામગીરી ખરેખર પ્રશંસાનેપાત્ર છે તેમા કોઇ બેમત નથી.આજના સમયમાં કિંમતી મોબાઈલ પરત મળે તે ખરેખર પ્રશંસાપાત્ર કામગીરી છે.પરંતુ આ કામગીરીને અંશતઃ પણ કહી શકાય કારણ કે ૬૩ જેટલા મોબાઈલ ખોવાણા કે ચોરાણા અને તેની અરજીઓ લેવામાં આવી અને અરજી અને બીલના આધારે તેના ઇએમઆઈ નંબરોના આધારે વોચ ગોઠવીને આઈપી એડ્રેસના મારફતે ૬૩ જેટલા મોબાઈલો શોધીને મોબાઈલ ધારકોને મોબાઇલો તો પરત મળી ગયા પરંતુ જે લોકોએ આ મોબાઇલ ચોર્યા હતા તે લોકોનું શું..? તેના ઉપર ચોરી અંગે ફરિયાદ નોંધાશે ખરી..? તો ચોરીના કેટલા ગુના થશે..? તે પણ એક વિચારવા લાયક પ્રશ્ન છે.






Latest News