ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસની આંશિક કામગીરી : ખોવાયેલા ૬૩ મોબાઈલ શોધીને લોકોને પરત તો કર્યા પણ તસ્કરો ક્યાં..?


SHARE













મોરબીમાં પોલીસની આંશિક કામગીરી : ખોવાયેલા ૬૩ મોબાઈલ શોધીને લોકોને પરત તો કર્યા પણ તસ્કરો ક્યાં..?

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કાબીલેદાદ કામગીરી કરવામાં આવેલ છે.જેમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હુકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.વી.પાતળિયા તથા એએસઆઈ રાજદીપસિંહ રાણા અને ડી-સ્ટાફના એ.પી.જાડેજા, ચકુભાઈ કલોતરા, કિશોરભાઈ મિયાત્રા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, હિતેશભાઈ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઈ લોખિલ, તેજાભાઈ ગરચર અને અરજણભાઈ ગરીયા સહિતના સ્ટાફે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા કે ચોરાયેલા ૬૩ જેટલા મોબાઈલો શોધીને મોબાઇલના મૂળ માલીકોને બોલાવીને પરત આપ્યા હતા.

એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને સતત તેના ઉપર મોનિટરિંગ કરી તેમાં ખોવાયેલા મોબાઈલ કે ચોરાયેલા મોબાઈલના બીલ ઉપરથી તે મોબાઇલ નંબરોને વીઝીટેશનમાં મુકીને તેના આઇપી એડ્રેસ આધારે સર્ચ તપાસ કરીને ૬૩ જેટલા મોબાઈલ ધારકોના ખોવાયેલા કે ચોરાયેલા રૂા.૧૧,૫૧,૩૭૨ ની કિંમતના મોબાઈલો શોધી કાઢીને મૂળ મોબાઇલ માલિકોને સોંપવામાં આવ્યા હતા.જે બદલ મોબાઇલ પરત મળેલ મોબાઈલ ધારકો દ્વારા પોલીસની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી અને પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.પોલીસની આ કામગીરી ખરેખર પ્રશંસાનેપાત્ર છે તેમા કોઇ બેમત નથી.આજના સમયમાં કિંમતી મોબાઈલ પરત મળે તે ખરેખર પ્રશંસાપાત્ર કામગીરી છે.પરંતુ આ કામગીરીને અંશતઃ પણ કહી શકાય કારણ કે ૬૩ જેટલા મોબાઈલ ખોવાણા કે ચોરાણા અને તેની અરજીઓ લેવામાં આવી અને અરજી અને બીલના આધારે તેના ઇએમઆઈ નંબરોના આધારે વોચ ગોઠવીને આઈપી એડ્રેસના મારફતે ૬૩ જેટલા મોબાઈલો શોધીને મોબાઈલ ધારકોને મોબાઇલો તો પરત મળી ગયા પરંતુ જે લોકોએ આ મોબાઇલ ચોર્યા હતા તે લોકોનું શું..? તેના ઉપર ચોરી અંગે ફરિયાદ નોંધાશે ખરી..? તો ચોરીના કેટલા ગુના થશે..? તે પણ એક વિચારવા લાયક પ્રશ્ન છે.






Latest News