મોરબી જિલ્લા કોંગ્રેસના વધુ એક પૂર્વ પ્રમુખે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
મોરબીના રામધન આશ્રમે જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓનું કરાયું સન્માન
SHARE
મોરબીના રામધન આશ્રમે જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓનું કરાયું સન્માન
મોરબીના રામધન આશ્રમ ખાતે રતનેશ્વરી દેવીજીના વ્યાસાસને રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ કથાશ્રવણનો લાભ મળ્યો હતો ત્યારે રામકથા દરમિયાન મોરબીના જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, રાજુભાઈ વિંધાણી, સંજયભાઈ હિરાણી, અમીતભાઈ પોપટ, પોલાભાઈ પટેલ તેમજ જલારામ મંદિર મહિલા મંડળના ભાવનાબેન સોમૈયા, નયનાબેન મીરાણી, રશ્મિબેન કોટક, ગાયત્રીબેન પંડિત, વંદનાબેન ત્રિવેદી, ચંદ્રિકાબેન માનસેતા, રીનાબેન ચૌહાણ સહીતનાઓનું અવિરત માનવસેવા પ્રદાન કરી હતી જેથી કરીને રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી તથા કથાકાર રતનેશ્વરી દેવીજી દ્વારા તે તેમામને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓએ ઉપસ્થિત સંતો-મહંતોને શાલ ઓઢાળી તેમના આશિર્વાદ મેળવ્યા હતા તેવું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે જણાવ્યુ છે