મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

મોરબી: માતા ઘર છોડીને ચાલી જતાં યુવાન દીકરાએ લાગી આવતા જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબી: માતા ઘર છોડીને ચાલી જતાં યુવાન દીકરાએ લાગી આવતા જીવન ટૂંકાવ્યું

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાનો તેની માતાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેની માતા ત્રણેક વર્ષ પહેલાં ઘર છોડીને ચાલી જતા તે ઉદાસ રહેતો હતો અને ઘણા સમયથી તે ઘરે જતો ન હતો દરમિયાન તેણે કોઈ કારણોસર કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનો રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામની સીમમાં ક્રિશાઝ ફાર્માસ્યુટીકલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો અલ્પેશભાઈ હેમસંગજી ઠાકોર (૧૯) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની યશોધરભાઈ ડાયાભાઈ પટેલ (૪૫) રહે. મધુરમ સોસાયટી રવાપર રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી પ્રમાણે મૃતક યુવાનની માતા નર્મદાબેનને તે ખૂબ જ પ્રેમ કરતો હતો અને તે લાગણી સભર હતો દરમિયાન નર્મદાબેન છેલ્લા ત્રણેક વર્ષથી ઘર છોડીને જતા રહેલ છે જેથી તે યુવાન ઉદાસ રહેતો હતો અને છેલ્લા ઘણા દિવસથી તે ઘરે પણ જતો ન હતો અને મનોમન તેને લાગી આવતા તેને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે તેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News