યુરોપના સ્પેનમાં યોજાયેલ સેવીસામા એકઝીબિશનમા મોરબીની સિરામિક કંપનીઓનો દબદબો
મોરબીમાં જાંબુડીયા ગામે રહેતી પરણીતાએ અંતિમ પગલું ભર્યું
SHARE
મોરબીમાં જાંબુડીયા ગામે રહેતી પરણીતાએ અંતિમ પગલું ભર્યું
મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા હિરેનભાઈ રમેશભાઈ રાઠોડના પત્ની મમતાબેન હિરેનભાઈ રાઠોડ (૧૯)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મૃતક મહિલાના પતિ હિરેનભાઈ રાઠોડ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ. બગડા દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળ દોઢ વર્ષનો છે અને તેને સંતાન નથી જોકે તેને આ પગલું કયા કારણસર ભરેલ છે તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે