મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રિ-એસએસસી ૫રીક્ષા યોજાઇ
મોરબીના રામધન આશ્રમ ખાતે રામકથા જ્ઞાનયજ્ઞ યોજાયો
SHARE
મોરબીના રામધન આશ્રમ ખાતે રામકથા જ્ઞાનયજ્ઞ યોજાયો
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમ ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતી અને આ રામકથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોને ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા અને તેની સાથે ૧૦૮ રાંદલ માતાજીના લોટા, મેડીકલ કેમ્પ જેવાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી ગૃરુકૃપા સેવા સમિતિ દ્વારા રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળવિદુષી રત્નેશ્વરીદેવી (રતનબેન) તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યુ હતું આ કથામાં શિવ વિવાહ, રામ પ્રાગટય, રામ સીતા વિવાહ, ભરત મિલાપ, રાંદલ ઉત્સવ, યજ્ઞ, રામેશ્વર સ્થાપન જેવા ધાર્મિક પ્રસંગો ધામધુમથી ઉજવવામાં આવ્યા હતા અને આ કથામાં સંતો, મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો સહિતનાઓએ હાજરી આપી હતી અને મોરબી સહિત જુદા જુદા ગામના આગેવાનો સહિતના શ્રોતાઓએ કથાનો લાભ લીધેલ છે આ કથાની સાથે જ ૧૦૮ રાંદલ માતાજીના લોટા, મેડીકલ કેમ્પ જેવાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. અને શ્રોતાઓ માટે સમુહપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથાને સફળ બનાવવા જય માતાજી સેવા સમિતિના ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી. તેવું મુકેશભાઈ ભગતએ જણાવ્યુ છે