મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં યોજાશે વાસ્તવિક રૂક્ષ્મણી વિવાહ


SHARE







મોરબીમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં યોજાશે વાસ્તવિક રૂક્ષ્મણી વિવાહ

મોરબીમાં આવેલ ન્યુ રીલીફનગરમાં રહેતા મકવાણા પરિવારે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને કથામાં જુદાજુદા ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે તેમાં આયોજકના પોતાના દીકરાના લગ્ન રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ દરમ્યાન યોજાશે એટ્લે કે રૂક્ષ્મણી વિવાહનો વાસ્તવિક પ્રસંગ ઉજવાશે જેથી લગ્નની સાથે શ્રીમદ ભાગવત સપ્તાહમાં આવવા માટે આમંત્રણ આપેલ છે.

મોરબીમાં આવેલ ન્યુ રીલીફનગરમાં રહેતા અરવિંદભાઈ મકવાણાના દીકરા પાર્થના લગ્ન વિનોદભાઈ કવૈયાની દીકરી મયુરી સાથે નિર્ધારિત કરવામાં આવ્યા છે. અને આ પરિવારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બંધન પાર્ટી પ્લોટ ખાતે તા ૧ થી ૭ માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને દરરોજ બપોરે ૩ થી ૬ કથા ચાલશે જેમાં શાસ્ત્રી નિખિલભાઈ જોશી શ્રોતાઓને તેની કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે આ કથા દરમ્યાન પોથીયાત્રા, સતી ચરિત્ર, સંતવાણી, નૃસિંહ પ્રાગટયમ વામન જન્મોત્સવ, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્રના પ્રસંગ ઉજવાશે જોકે, આ કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આવશે ત્યારે પાર્થ અને મયુરીના લગ્ન કરાવીને શ્રીમદ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહનો વાસ્તવિક પ્રસંગ ઉજવાશે






Latest News