મોરબીમાં વ્યાજે લીધેલા રૂપિયાની કારખાનેદાર પાસેથી પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરની ધરપકડ
મોરબીમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં યોજાશે વાસ્તવિક રૂક્ષ્મણી વિવાહ
SHARE
મોરબીમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં યોજાશે વાસ્તવિક રૂક્ષ્મણી વિવાહ
મોરબીમાં આવેલ ન્યુ રીલીફનગરમાં રહેતા મકવાણા પરિવારે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને કથામાં જુદાજુદા ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે તેમાં આયોજકના પોતાના દીકરાના લગ્ન રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ દરમ્યાન યોજાશે એટ્લે કે રૂક્ષ્મણી વિવાહનો વાસ્તવિક પ્રસંગ ઉજવાશે જેથી લગ્નની સાથે શ્રીમદ ભાગવત સપ્તાહમાં આવવા માટે આમંત્રણ આપેલ છે.
મોરબીમાં આવેલ ન્યુ રીલીફનગરમાં રહેતા અરવિંદભાઈ મકવાણાના દીકરા પાર્થના લગ્ન વિનોદભાઈ કવૈયાની દીકરી મયુરી સાથે નિર્ધારિત કરવામાં આવ્યા છે. અને આ પરિવારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બંધન પાર્ટી પ્લોટ ખાતે તા ૧ થી ૭ માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને દરરોજ બપોરે ૩ થી ૬ કથા ચાલશે જેમાં શાસ્ત્રી નિખિલભાઈ જોશી શ્રોતાઓને તેની કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે આ કથા દરમ્યાન પોથીયાત્રા, સતી ચરિત્ર, સંતવાણી, નૃસિંહ પ્રાગટયમ વામન જન્મોત્સવ, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્રના પ્રસંગ ઉજવાશે જોકે, આ કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આવશે ત્યારે પાર્થ અને મયુરીના લગ્ન કરાવીને શ્રીમદ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહનો વાસ્તવિક પ્રસંગ ઉજવાશે









