મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી: ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજનામાં ભરતી માટે ફોર્મ ભરવાનું શરૂ


SHARE













મોરબી: ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજનામાં ભરતી માટે ફોર્મ ભરવાનું શરૂ

ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના (અગ્નિવીર આર્મી) ભરતી માટે ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે જેમાં ૨૦૦૩ થી ૨૦૦૭ વચ્ચે જન્મેલા ધો.૮ થી ૧૨ પાસ અરજી કરી શકશે. યુવાનો આ માટે ભારતીય સેનાની ભરતી વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને તા.૨૨ માર્ચ ૨૦૨૪ સુધીમાં અરજી કરી શકે છે.

આર્મીમાં અગ્નિવીર બનવા માટે ઉમેદવારોની ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષની વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, અગ્નિવીર જનરલ ડ્યુટી અને ટ્રેડ્સમેન માટે ધો. ૧૦ પાસ લાયકાત નિર્ધારિત છે. જ્યારે અગ્નિવીર ટેકનિકલ માટે, ગણિત વિજ્ઞાન સાથે ધોરણ ૧૨ પાસ હોવું જોઈએ. અગ્નિવીર ક્લાર્ક માટે કોઈપણ વિષય સાથે ધોરણ ૧૨ પાસ હોવું આવશ્યક છે. જ્યારે અગ્નિવીર ટ્રેડ્સમેનની કેટલીક જગ્યાઓ માટે ધોરણ ૮ પાસ પણ નિયત લાયકાત છે. આ ઉપરાંત, અગ્નિવીર ભરતી માટે શારીરિક લાયકાત પણ નિર્ધારિત કરવામાં આવી છે, જે અંતર્ગત વિવિધ ક્ષેત્રોના ઉમેદવારો માટે ૧૬૨ સે.મી.થી ૧૭૦ સે.મી. (ભારતીય આર્મી અગ્નિવીરની ઊંચાઈ) સુધીની ઊંચાઈ જરૂરી છે. છાતીની ઓછામાં ઓછી પહોળાઈ ૭૭ સે.મી. હોવી જરૂરી છે.






Latest News