મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની શ્રી સરસ્વતી શિશુમંદિર શનાળા ખાતે વિજ્ઞાનમેળો યોજાયો


SHARE















મોરબીની શ્રી સરસ્વતી શિશુમંદિર શનાળા ખાતે વિજ્ઞાનમેળો યોજાયો

૨૮ ફેબ્રુઆરીએ વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે શ્રી સરસ્વતી શિશુમંદિરમાં પણ ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ વિજ્ઞાનમેળાને વિદ્યાલયના ટ્રસ્ટી વ્યવસ્થાપક તેમજ આયુર્વેદના ડોક્ટર હર્ષદભાઈ અંબાસણા, જ્યોતિષશાસ્ત્રી બાલુભા જાડેજા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ ૧૨ વિભાગોમાં ૮૦ થી વધુ પ્રયોગો રજુ થયા હતા.જેમાં ૫૦ જેટલા વર્કિંગ મોડેલ તેમજ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સમજૂતી સાથે રજૂ કર્યા હતા. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પડેલ વૈજ્ઞાનિક કૌશલ્ય તેમજ દ્રષ્ટિકોણ ખીલે તેમજ ભારતીય દ્રષ્ટિકોણ સાથે વિજ્ઞાન અને ધર્મનું સમાયોજન કરી ભારતના ભૂગોળનું સાંસ્કૃતિક મહત્વ પણ રજૂ કરી શકે જેમાં રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, ખગોળ, જ્યોતિષશાસ્ત્ર આયુર્વેદવિજ્ઞાન, વાસ્તુશાસ્ત્ર, એક્યુપ્રેશર, પંચમહાભૂત તેમજ સંગીત આધારિત ચિકિત્સા પદ્ધતિ અને ગણિતના કોયડાઓ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ જોઈ સૌ કોઈ વાલીઓ આશ્ચર્યચકિત થયા.

આ વિજ્ઞાન મેળામાં અંદાજે ૧૫૦૦ જેટલા વાલીઓ બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ શનાળા ગામમાંથી અન્ય વિદ્યાલયના શિક્ષકો, આચાર્ય અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા  વિજ્ઞાન વિજ્ઞાનઆ વિજ્ઞાન મેળામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પશ્ચિમક્ષેત્રના માનનીય સંઘ સંચાલકજી ડો. જયંતીભાઈ ભાડેસીયા એ મુલાકાત લઇ બાળવેજ્ઞાનિકોને બિરદાવ્યા હતા.શાળાના આચાર્યો, પ્રધાનાચાર્ય તેમજ વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાનમેળાને સફળ બનાવવા ખૂબ મહેનત ઉઠાવી હતી.






Latest News