મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલીયાનો પદગ્રહણ સમારોહ યોજાયો


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના માજી ધારાસભ્યો કોંગ્રેસના હાજર રહ્યા હતા અને તે ઉપરાંત વિશાળ સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે સત્તા માટે નહીં પરંતુ સેવા માટે કોંગ્રેસ સાથે આગેવાનો અને કાર્યકરો જોડાય છે અને લોકોના આશીર્વાદ સાથે લોક કલ્યાણ માટે કામ કરવાની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવી છે ત્યારે મોરબીના રવાપર ગામ પાસે આવેલ ઉજ્વલા પાર્ટી પ્લોટ ખાતે તેઓનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેના અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા અને તે ઉપરાંત માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, લલીતભાઈ વસોયા, મહમદ જાવેદા પીરજાદા, ઋત્વિકભાઈ તે સહિતના કોંગ્રેસના આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા આ તકે ભાજપની નીતિ ઉપર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોએ સવાલો ઉઠાવ્યા હતા અને હાલમાં જે ભાજપની અંદર ભરતી મેળો શરૂ કરવામાં આવ્યો છે તેને લઈને કટાક્ષ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપને તેના કામ ઉપર કે કાર્યકરો ઉપર વિશ્વાસ નથી એટલા જ માટે ડર બતાવીને કે લાલચ આપીને કોંગ્રેસમાંથી આગેવાનો લઈ જવા પડે છે જોકે કોંગ્રેસની સાથે આજની તારીખે પણ અડીખમ યોદ્ધાની જેમ જોડાયેલા આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ સાથે જોવા મળશે અને ખાસ કરીને કોંગ્રેસ સત્તા પડાવી લેવા માટે સંઘર્ષ નથી કરતી પરંતુ સેવા માટે સંઘર્ષ કરી રહી છે અને ગુજરાતના લોકોના આશીર્વાદ સાથે ગુજરાતમાં કોંગ્રેસને સત્તા મળે તે લોકોના કલ્યાણ માટે હશે તેઓ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો






Latest News