મોરબી જીએસટી વિભાગના ત્રણ સહીત રાજ્યના ૧૮૮ ક્લાર્કને પ્રમોશન
મોરબી જીલ્લામાં કોંગ્રેસમાંથી વધુ સાત રાજીનામા
SHARE
મોરબી જીલ્લામાં કોંગ્રેસમાંથી વધુ સાત રાજીનામા
મોરબી જીલ્લા કોંગ્રેસના પમુખ તરીકે કિશોરભાઇ ચિખલિયાની વરણી કરવામાં આવી છે ત્યાર પછીથી કોંગ્રેસમાંથી ઘણા આગેવાનોએ રાજીનામાં આવેલ છે તેવામાં વધુ સાત હોદેદાર અને કાર્યકર્તાઓએ કોંગ્રેસના તમામ હોદાઓ ઉપરથી રાજીનામાં આપેલ છે
થોડા સમય પહેલા મોરબી જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું બાદ ભાજપમાં વિધિવત પ્રવેશ મેળવી લીધેલ છે જો કે, તેઓની સાથે ઘણા આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામાં મૂક્યા હતા અને હજુ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું ચાલુ જ છે તેવામાં વધુ સાત રાજીનામાં મૂકવામાં આવેલ છે જેમાં માળીયા તાલુકા કોંગ્રેસનાં ઉપપ્રમુખ સતીષ બાબુલ વામજા, માળીયા તાલુકા કોંગ્રેસ કારોબારી સભ્ય આશીષભાઇ હરખજીભાઈ સંધાણી, મોરબી તાલુકા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દુર્લભજીભાઈ ટપુભાઈ સુરાણી, મોરબી જીલ્લા કોંગ્રેસના મંત્રી સંજયભાઈ વાલજીભાઈ કાવર, મોરબી પાલિકાના માજી પ્રમુખ અસ્મિતાબેન નવીનભાઇ કોરીંગા, મોરબી જીલ્લા કોંગ્રેસના કારોબારી સભ્ય ખોડીદાસભાઈ રૂગનાથભાઈ સંતોકી અને માળીયા તાલુકા સેવાદળના પ્રમુખ મહેશભાઈ નાથાલાલ કૈલાએ કોંગ્રેસમાંથી સ્વૈચ્છિક રાજીનામા આપી દીધેલ છે