ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીનાં લક્ષ્મીનગર પાસે ઓફીસમાં ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત


SHARE











મોરબીનાં લક્ષ્મીનગર પાસે ઓફીસમાં ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત

મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ઓફીસમાં યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું ઘટના  સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરીને યુવાનને મૃતદેહને સિવિલે પીએમ માટે ખસેડાયો હતો અને હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ઓફીસમાં સંદિપ રૂગનાથભાઇ જેઠલોજા (ઉ.૩૮) રહે. નવી પીપળી વાળાએ કોઈ કારણોસર ગઇકાલે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાની ઓફીસમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ભીમસર નજીક આવેલા ત્રણ માળીયામાં રહેતો વિપુલભાઈ રાજુભાઈ સોલંકી (૨૩) અને કિશોરભાઈ ભીમાભાઇ સોલંકી (૨૨) રહે.ભારતનગર સામેકાંઠે મોરબી-૨ વાળાઓને માળીયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામના બાયપાસ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા મુકેશભાઈ અશોકભાઈ દેલવાડીયા નામના ૨૨ વર્ષના યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર અર્થે સિવિલે ખસેડાયો હતો. તે રીતે જ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રેમજીનગર ગામે થયેલ મારામારીના બનાવમાં જ્યોતિબેન ચમનભાઈ પરમાર નામના ૪૨ વર્ષીય મહીલાને સારવારમાં ખસેડાયા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યોતિબેનને તેઓના પતિએ માર માર્યો હતો જેથી તેમને સારવાર માટે ખસેડાયા છે.






Latest News