મોરબીના ઘુંટુ રોડેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે કરાયો
SHARE
મોરબીના ઘુંટુ રોડેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે કરાયો
મારામારીમાં યુવાનને ઇજા
મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ રામચોક પાસે મારામારીની ઘટના બની હતી જે મારામારીના બનાવમાં મોરબીમાં ધરમપુર રોડ ઉપર આવેલ ભીમસર ખાતે રહેતા ખીમજીભાઇ રતિલાલ કડેવાર (ઉમર ૪૫) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે
મારામારીમાં ઇજા
મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ ઈદ મસ્જિદ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નૂરબાઈ સલીમભાઈ મોવર રહે. મચ્છીપીઠ વાળાને ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
યુવતીને છરી લાગી જતા સારવારમાં
મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા રવાપર (નદી) ગામ પાસે આવેલ અમરનગર વિસ્તારમાં રહેતી રવિનાબેન રમેશભાઈ ભીમાણી નામની ૧૮ વર્ષની યુવતીને ગત તા.૨૭-૨ ના રાત્રીના ૧૧ વાગ્યે છરી લાગી જતા શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે બાજુના ગામ શક્તિનગર વિસ્તારમાં કોઇ છોકરા સાથેની બબાલમાં ઝઘડો થયો હતો અને ઝગડા બાદ રવિનાબેનને તેમના ઘરે જ છરી લાગી ગઈ હતી.જેથી સારવારમાં લવાયા હતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર જનકસિંહ પરમાર દ્વારા આ બનાવની નોંધ કરીને તપાસ કરાઈ હતી.