મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે કરાયો


SHARE













મોરબીના ઘુંટુ રોડેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે કરાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયુ હતુ.જે અંગેની ફરિયાદ નોંધાવાયેલ હોય તાલુકા પોલીસે તપાસ હાથ ધરીને એમપી ખાતેથી આરોપી અને ભોગ બનનારને શોધી કાઢયા છે.હાલ આરોપીને જેલ હવાલે કરાયો હોવાનું જાણવા મળેલ છે.
 
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સિરામીક એકમમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પરિવારની સગીરાનું આદિવાસી શખ્સ દ્રારા અપહરણ કરવામાં આવ્યું હતુ.જે બાબતે ગત તા.૧૮-૧૨-૨૩ ના રોજ ફરિયાદ નોંધાવા પામી હતી.મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના અને હાલ મોરબીના સામાકાંઠે જૂના ઘુંટુ રોડ ઉપર આવેલ સીરામીક યુનિટના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની દીકરીનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે સુનીલ રૂપાભાઈ ગમાર જાતે આદિવાસી રહે.લાલપુરા તિમેચા તાલુકો સરદારપુર જીલ્લો ધાર મધ્યપ્રદેશ અપહરણ કરી ગયો હતો તે અંગે ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્રારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા આઇપીસીની કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટની કલમો હેઠળ ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપી સુનિલ આદિવાસીને પકડવા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી.દરમ્યાન તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે એમપી ખાતે વોચ ગોઠવીને રેડ કરવામાં આવી હતી.તે દરમિયાન ભોગ બનનાર સગીરા તથા આરોપી સુનિલ રૂપાભાઈ ગમાર (ઉમર ૧૮) ધંધો મજૂરી રહે.લાલપુરા તિમેશી સરદારપુર ધાર મધ્યપ્રદેશ વાળો ત્યાંથી મળી આવ્યો હતો જેથી તેને મોરબી લાવવામાં આવ્યો હતો અને સગીરાનો તેના પરિવારજનોને કબ્જો સોંપીને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા સુનિલ આદિવાસીને જેલ હવાલે કરવા હુકમ થતા હાલ તેને જેલ હવાલે કરાયો હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં યુવાનને ઇજા

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ રામચોક પાસે મારામારીની ઘટના બની હતી જે મારામારીના બનાવમાં મોરબીમાં ધરમપુર રોડ ઉપર આવેલ ભીમસર ખાતે રહેતા ખીમજીભાઇ રતિલાલ કડેવાર (ઉમર ૪૫) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે

મારામારીમાં ઇજા

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ ઈદ મસ્જિદ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નૂરબાઈ સલીમભાઈ મોવર રહે. મચ્છીપીઠ વાળાને ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવતીને છરી લાગી જતા સારવારમાં

મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા રવાપર (નદી) ગામ પાસે આવેલ અમરનગર વિસ્તારમાં રહેતી રવિનાબેન રમેશભાઈ ભીમાણી નામની ૧૮ વર્ષની યુવતીને ગત તા.૨૭-૨ ના રાત્રીના ૧૧ વાગ્યે છરી લાગી જતા શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે બાજુના ગામ શક્તિનગર વિસ્તારમાં કોઇ છોકરા સાથેની બબાલમાં ઝઘડો થયો હતો અને ઝગડા બાદ રવિનાબેનને તેમના ઘરે જ છરી લાગી ગઈ હતી.જેથી સારવારમાં લવાયા હતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર જનકસિંહ પરમાર દ્વારા આ બનાવની નોંધ કરીને તપાસ કરાઈ હતી.






Latest News