મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક હરીપર પાસે ડિવાઈડર ક્રોસ કરતાં ટ્રક ટ્રેલરના ઠાંઠામાં પાછળ બીજું ટ્રક ટ્રેલર અથડાતાં એક ડ્રાઈવરનું મોત


SHARE







માળીયા (મી) નજીક હરીપર પાસે ડિવાઈડર ક્રોસ કરતાં ટ્રક ટ્રેલરના ઠાંઠામાં પાછળ બીજું ટ્રક ટ્રેલર અથડાતાં એક ડ્રાઈવરનું મોત

માળીયા મિયાણા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામની બાજુમાં ડિવાઈડર ક્રોસ કરી રહેલા ટ્રક ટ્રેલરના ઠાંઠામાં પાછળ આવી રહેલ ટ્રક ટ્રેલર આથડયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં અકસ્માત સર્જનાર ટ્રક ટ્રેલરના ચાલકને પેટ અને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલા ટ્રક ડ્રાઇવર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઉપરલા ગામના રહેવાસી બુલારામ પૂરખારામ માંજુ જાતે બિસ્મોઈ (૫૧)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક પપ્પુકુમાર લાલમુની યાદવ રહે. ઉત્તર પ્રદેશ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, માળિયા મીયાણા નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા હરીપર ગામની બાજુમાં રેલવે ઓબરબ્રિજ પાસે ડિવાઈડર ક્રોસ કરી રહેલા ફરિયાદીના ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૪૪૩૬ ની પાછળના ભાગમાં આરોપી મૃતક પપ્પુકુમાર લાલમુનિ યાદવએ તેના હવાલા વાળા ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીએક્સ ૭૭૬૪ ને ધડાકા અથડાવ્યો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં પપ્પુકુમાર યાદવને પેટ અને માથાના ભાગે ગંભીએ ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં બુલારામ માંજુ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક પપ્પુકુમાર યાદવ સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News