માળીયા (મી)ના જુના અંજિયાસર ગામે પરણીતાએ ન કરવાનું કર્યુ
SHARE









માળીયા (મી)ના જુના અંજિયાસર ગામે પરણીતાએ ન કરવાનું કર્યુ
માળીયા મીયાણા તાલુકાના જુના અંજિયાસર ગામે રહેતી પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના જુના અંજિયાસર ગામે રહેતી પરણીતા પરવીનબેન આશિષભાઈ મુલ્લા (૨૨)એ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક માળિયાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળ ૧૪ માસનો હતો જેથી કરીને તેણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં સ્થાનિક પીએસઆઇ એન.એમ. ગઢવી તપાસ ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો રવિભાઈ મનસુખભાઈ (૨૩) નામનો યુવાન બાઇક લઈને મોરબીના ભડીયાદ રોડ ઉપર રામદેવપીરના ઢોરા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય બાઇક સાથે તેનું બાઈક અથડાયું હું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા થવાથી રવિભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળ મુજબની કાર્યવાહી હાથ ધરી છે

