મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

પાટીદાર સમાજ વિષે ટિપ્પણી કરનારા વિપુલ ચૌધરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપ્યો જવાબ


SHARE







પાટીદાર સમાજ વિષે ટિપ્પણી કરનારા વિપુલ ચૌધરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપ્યો જવાબ

મહેસાણા ખાતેથી યોજાયેલ કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિષે જે ટિપ્પણી કરેલ હતી તેનો અણીદાર જવાબ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપેલ છે અને કહ્યું છે કે, પાટીદાર સમાજ સેવાભાવી સમાજ છે અને દરેક સમાજને તમામ ક્ષેત્રે સહાકર અને સેવા આપે છે

તાજેતરમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિષે જે ટિપ્પણી કરી હતી જેને લઈને વિવાદ થયેલ છે અને તેનો જવાબ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈએ આપેલ છે અને જણાવ્યુ છે કે,મોરબીમાં પાટીદાર સમાજનું છાત્રાલય આવેલ છે તેમાં દરેક સમાજની દીકરીઓ અભ્યાસ મેળવે છે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર શિક્ષણ આપવામાં આવે છે તેવી જ રીતે અન્ય પાટીદાર સમાજની સંસ્થાઓ પણ અનેકવિધ સેવકીય કામ કરી રહી છે અને દાન પણ આપે છે અને પાટીદાર સમાજના દાતાઓના સહયોગથી અનેક સેવાકીય કામો ચાલી રહ્યા છે. અંતમા એવું પણ કહ્યું હતું કે, “વિપુલ ચૌધરી તમે મોરબીની એલઇ કોલેજમાં ભણતા હતા ત્યારથી હું આપને ઓળખું છું અને તમે કરેલા પક્ષ પલટા પણ અમને યાદ છે એટલે પાટીદાર સમાજ જ નહીં પરંતુ કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી જોઇએ નહીં






Latest News