મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની ત્રણ વિદ્યાર્થિનીઓએ ગોલ્ડમેડલ મેળવી ઇતિહાસ રચ્યો
પાટીદાર સમાજ વિષે ટિપ્પણી કરનારા વિપુલ ચૌધરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપ્યો જવાબ
SHARE









પાટીદાર સમાજ વિષે ટિપ્પણી કરનારા વિપુલ ચૌધરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપ્યો જવાબ
મહેસાણા ખાતેથી યોજાયેલ કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિષે જે ટિપ્પણી કરેલ હતી તેનો અણીદાર જવાબ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપેલ છે અને કહ્યું છે કે, પાટીદાર સમાજ સેવાભાવી સમાજ છે અને દરેક સમાજને તમામ ક્ષેત્રે સહાકર અને સેવા આપે છે
તાજેતરમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિષે જે ટિપ્પણી કરી હતી જેને લઈને વિવાદ થયેલ છે અને તેનો જવાબ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈએ આપેલ છે અને જણાવ્યુ છે કે,મોરબીમાં પાટીદાર સમાજનું છાત્રાલય આવેલ છે તેમાં દરેક સમાજની દીકરીઓ અભ્યાસ મેળવે છે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર શિક્ષણ આપવામાં આવે છે તેવી જ રીતે અન્ય પાટીદાર સમાજની સંસ્થાઓ પણ અનેકવિધ સેવકીય કામ કરી રહી છે અને દાન પણ આપે છે અને પાટીદાર સમાજના દાતાઓના સહયોગથી અનેક સેવાકીય કામો ચાલી રહ્યા છે. અંતમા એવું પણ કહ્યું હતું કે, “વિપુલ ચૌધરી તમે મોરબીની એલઇ કોલેજમાં ભણતા હતા ત્યારથી હું આપને ઓળખું છું અને તમે કરેલા પક્ષ પલટા પણ અમને યાદ છે એટલે પાટીદાર સમાજ જ નહીં પરંતુ કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી જોઇએ નહીં

