મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

પાટીદાર સમાજ વિષે ટિપ્પણી કરનારા વિપુલ ચૌધરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપ્યો જવાબ


SHARE













પાટીદાર સમાજ વિષે ટિપ્પણી કરનારા વિપુલ ચૌધરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપ્યો જવાબ

મહેસાણા ખાતેથી યોજાયેલ કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિષે જે ટિપ્પણી કરેલ હતી તેનો અણીદાર જવાબ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપેલ છે અને કહ્યું છે કે, પાટીદાર સમાજ સેવાભાવી સમાજ છે અને દરેક સમાજને તમામ ક્ષેત્રે સહાકર અને સેવા આપે છે

તાજેતરમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિષે જે ટિપ્પણી કરી હતી જેને લઈને વિવાદ થયેલ છે અને તેનો જવાબ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈએ આપેલ છે અને જણાવ્યુ છે કે,મોરબીમાં પાટીદાર સમાજનું છાત્રાલય આવેલ છે તેમાં દરેક સમાજની દીકરીઓ અભ્યાસ મેળવે છે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર શિક્ષણ આપવામાં આવે છે તેવી જ રીતે અન્ય પાટીદાર સમાજની સંસ્થાઓ પણ અનેકવિધ સેવકીય કામ કરી રહી છે અને દાન પણ આપે છે અને પાટીદાર સમાજના દાતાઓના સહયોગથી અનેક સેવાકીય કામો ચાલી રહ્યા છે. અંતમા એવું પણ કહ્યું હતું કે, “વિપુલ ચૌધરી તમે મોરબીની એલઇ કોલેજમાં ભણતા હતા ત્યારથી હું આપને ઓળખું છું અને તમે કરેલા પક્ષ પલટા પણ અમને યાદ છે એટલે પાટીદાર સમાજ જ નહીં પરંતુ કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી જોઇએ નહીં






Latest News