ધારાસભ્યની જહેમત રંગ લાવી: વાંકાનેરના ઢુવા ગામે વીજ કંપનીનું ફોલ્ટ સેન્ટર મંજૂર મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીના મકનસર પાસે અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ મોરબીના ઘૂટું ગામ પાસે અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ મોરબીના સનાળા રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા અજાણ્યા યુવાનનું સારવારમાં મોત એક સાંધોને તેર તૂટે: મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરતાં સમયે પાણીની મેઇન લાઇનમાં કર્યું ભંગાણ ! મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો કરનારા બે શખ્સ ઝડપાયા મોરબીમાં શાળાઓ શરૂ થતાની સાથે જ ટ્રાફિક પોલીસની ખાસ વાહન ચેકિંગ ડ્રાઈવ યોજાઇ
Breaking news
Morbi Today

પાટીદાર સમાજ વિષે ટિપ્પણી કરનારા વિપુલ ચૌધરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપ્યો જવાબ


SHARE

















પાટીદાર સમાજ વિષે ટિપ્પણી કરનારા વિપુલ ચૌધરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપ્યો જવાબ

મહેસાણા ખાતેથી યોજાયેલ કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિષે જે ટિપ્પણી કરેલ હતી તેનો અણીદાર જવાબ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપેલ છે અને કહ્યું છે કે, પાટીદાર સમાજ સેવાભાવી સમાજ છે અને દરેક સમાજને તમામ ક્ષેત્રે સહાકર અને સેવા આપે છે

તાજેતરમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિષે જે ટિપ્પણી કરી હતી જેને લઈને વિવાદ થયેલ છે અને તેનો જવાબ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈએ આપેલ છે અને જણાવ્યુ છે કે,મોરબીમાં પાટીદાર સમાજનું છાત્રાલય આવેલ છે તેમાં દરેક સમાજની દીકરીઓ અભ્યાસ મેળવે છે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર શિક્ષણ આપવામાં આવે છે તેવી જ રીતે અન્ય પાટીદાર સમાજની સંસ્થાઓ પણ અનેકવિધ સેવકીય કામ કરી રહી છે અને દાન પણ આપે છે અને પાટીદાર સમાજના દાતાઓના સહયોગથી અનેક સેવાકીય કામો ચાલી રહ્યા છે. અંતમા એવું પણ કહ્યું હતું કે, “વિપુલ ચૌધરી તમે મોરબીની એલઇ કોલેજમાં ભણતા હતા ત્યારથી હું આપને ઓળખું છું અને તમે કરેલા પક્ષ પલટા પણ અમને યાદ છે એટલે પાટીદાર સમાજ જ નહીં પરંતુ કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી જોઇએ નહીં






Latest News