મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી યુવતીના અપહરણના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીના જામીન મંજૂર


SHARE





મોરબી તાલુકામાંથી યુવતીના અપહરણના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીના જામીન મંજૂર

મોરબીમાં રહેતો યુવાન યુવતીને ભગાડી ગયેલ હતો તેની બહેનનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરેલ હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આરોપીઓએ તેના વકીલ મારફતે જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી યુવતીનો ભાઈ કાનાભાઈ જીવાભાઈ સવસેટાની દીકરીને ભગાડી ગયો હતો ત્યાર બાદ ફરિયાદી યુવતી તેની માતા મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા તેના મામાના ઘરે જતાં રહ્યા હતા જેથી આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી યુવતી તેમજ તેની માતા અને તેની મામી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી તેમજ કાનાભાઈજયદીપભાઇ અને વિક્રમભાઈએ ફરિયાદી યુવતીને ઢસડીને ગાડીમાં લઈ જઈને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે પોલીસે આરોપી કાનાભાઈ જીવાભાઇ સવસેટા, જયદીપ જીવણભાઇ સવસેટા, વિક્રમ રાજાભાઈ સવસેટા, જયેશ ઉર્ફે જયલો દેવાયતભાઈ બાબરીયા અને અશોક ઉર્ફે મુન્નાભાઈ દેવાણંદભાઈ જીલરીયાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આરોપીએ તેના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) મારફતે મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે પાંચેય આરોપીઓના ૨૦- ૨૦ હજારના શરતી જામીન મંજૂર કરેલ છે તેવી માહિતી આરોપીના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મેનાઝબેન પરમાર પાસેથી જાણવા મળેલ છે




Latest News