મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી ગ્રાહકને ૨૦.૨૫ લાખની રકમ મળી


SHARE











મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી ગ્રાહકને ૨૦.૨૫ લાખની રકમ મળી

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા પ્રભાબેન ચમનલાલ ધાનજાને મકાન લોનના વીમા બાબતે એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સ પાસેથી ૨૦,૨૫,૦૦૧ ની રકમ ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવવામાં આવે તેવો ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે

મોરબીના વતની પ્રભાબેન ચમનલાલ ધાનજાએ એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સ પાસેથી મકાન લોન ૨૦,૦૫,૦૦૧ લીધેલ હતી અને ચમનભાઇએ લીધેલ લોનના નિયમ પ્રમાણે લોન ગ્રાહકનું મરણ થાય તો વીમો કુલ ચુકવી આપવાનો છે ચમનલાલને શ્વાસની તકલીફ થતાં પ્રમુખ સાર્થક હોસ્પીટલમાં મેઇન ડેગ્યુ તાવની અસર થતાં એપોલો હોસ્પીટલમાં દાખલ કરેલ હતા ત્યાં તા. ૨૭/ ૧૨/૨૦૨૧ ના રોજ તેમનું અવશાન થતાં વીમા કંપનીએ એવા બહાના હેઠળ કે તેમને અન્ય રોગ હતો તેમ કહી વીમા ચુકવવાની ના પાડી દીધી હતી અને એપોલો હોસ્પીટલે વ્યવસ્થીત કારણો બતાવેલ છતા વીમા કંપનીએ હાથ ઉંચા કરી દીધા હતા જેને કારણે પ્રભાબેન ધાનજાએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરતાં ગ્રાહક અદાલતે એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સને ૨૦,૦૫,૦૦૧ વીમાના તથા ૧૫૦૦૦ માનસીક ત્રાસ અને ૫૦૦૦ પાંચ હજાર એમ કુલ ૨૦,૨૫,૦૦૧ ને ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.






Latest News