ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી વાંકાનેરના સરતનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું  મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા વાંકાનેરના લાલપર ગામે ઝઘડો કરશે તેમ સમજીને આધેડ ઉપર કુહાડી-પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ


SHARE











મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. આ ચૂંટણીઓ નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી (IAS) દ્વારા સરકારી આરામગૃહો અને રહેણાંકના ઉપયોગ અંગે પ્રતિબંધાત્મક હુકમો જારી કરવામાં આવ્યા છે.

આ જાહેરનામા અનુસાર, જિલ્લામાં આવેલા તમામ સરકારી, અર્ધસરકારી કે પંચાયતના વિશ્રામગૃહો, અતિથિગૃહો, ડાક બંગલાઓ અને સરકારી રહેણાંકના મકાનો તેમજ તેની સાથે જોડાયેલા આંગણ કે કમ્પાઉન્ડનો કોઈપણ રાજકીય પક્ષના હોદ્દેદારો, ઉમેદવારો કે તેમના એજન્ટો દ્વારા રાજકીય હેતુસર કે ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે ઉપયોગ કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. વધુમાં, આવા સ્થળોએ રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટિંગ યોજવા તેમજ કમ્પાઉન્ડમાં ચૂંટણીલક્ષી વાહનો પાર્ક કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચાર માટે આવતા મહાનુભાવોને મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહમાં રૂમ ફાળવી શકાશે નહીં. જોકે, 'Z' કક્ષાની કે તેથી વધુ સુરક્ષા ધરાવતા રાજકીય પદાધિકારીઓને રૂમ ફાળવી શકાશે, પરંતુ શરત એ રહેશે કે તે રૂમ અગાઉથી કોઈ ચૂંટણી નિરીક્ષક કે અધિકારી માટે ફાળવાયેલ ન હોય. આવા સુરક્ષા ધરાવતા મહાનુભાવો પણ રોકાણ દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકશે નહીં. આ હુકમ તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી સમગ્ર મોરબી જિલ્લામાં અમલમાં રહેશે. 






Latest News