વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા ટંકારાના લજાઈ ગામેથી એક્ટિવામાં પત્નીને બેસાડીને જડેશ્વર મેળામાં જતાં યુવાનને નડ્યો અકસ્માત: દંપતી સારવારમાં મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં શ્રમિક યુવાન અને અણિયારી ગામે વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત:  મોરબીના જીકિયારી ગામે ઉલ્ટી-ઊબકા બાદ 9 વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બંધ પડેલા કારખાનામાંથી 4.25 લાખના કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજીનો ભવ્ય નવરંગ માંડવો યોજાશે


SHARE







મોરબીમાં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજીનો ભવ્ય નવરંગ માંડવો યોજાશે

શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી મિત્ર મંડળ દ્વારા મોરબી ના મોચી શેરી માં ખાખરેચી દરવાજા ચોકમાં શ્રી હટકેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા આષ્થા શ્રદ્ધા ના પ્રતિકસમાં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી નો ભવ્ય નવરંગ માંડવો માતાજી ના મંદિર ના સાનિધ્યમાં તા ૧૫/૩ ને શુક્રવારે યોજાશે વહેલી સવારે થાંભલી રોપણ કરાશે જેમાં સવારે ૯ વાગે ધામધૂમથી વાજતે ગાજતે ભુવાના સામૈયા કરવામાં આવશે આ નવરંગ માંડવા માં ડાક ની રમઝટ રાત્રે ૯ વાગે યોજાશે જેમાં રાવળદેવ શ્રી હરેશભાઇ રાવળ પંચના ભૂવા શ્રી ધીરુભાઇ ખોડાભાઈ ચૌહાણ(લીલા લીમડા વાળા મેલડી માતાજી મંદિર ના ભૂવા શ્રી) સહિત રમેશભાઈ મોહનભાઇ ડોડીયા, જયંતીભાઈ પૂંજાભાઈ રાજગોર,અરુણભાઈ રણમલભાઈ સોલંકી,દિલીપભાઈ રાવળ, અમૂલભાઈ અશોકભાઈ ચાવડા, જનકભાઈ મોહનભાઇ ચૌહાણ, ચમનભાઈ સોઢા, મહેશભાઈ ડોડીયા, જયંતીભાઈ મકવાણા, રવિભાઈ સોલંકી, સહિત ભૂવાશ્રી માતાજી ના ગરબા,છંદ,દુહા ની રમઝટ બોલાવશે.આ નવરંગ માંડવા ના સફળ આયોજન માં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી મિત્ર મંડળ ને માઇ ભક્તો સેવાભાવી યુવા ગ્રુપ મંદિર અને ચોક ને રોશની થી ઝળહળતી કરી રાત દિવસના ઉજાગરા કરી તન મન ધન થી જહેમત ઉઠાવીને ખાખરેચી દરવાજા ચોકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા ભક્તો એ માતાજીના માંડવાના દર્શનનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.




Latest News