મોરબી : પાલક માતા-પિતા યોજના બની મોરબી જિલ્લાના ૪૮૩ નિરાધાર બાળકો માટે આધારસ્તંભ
Morbi Today
વાંકાનેર તથા હળવદ મુકામે નવ નિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણનો સમારોહ યોજાશે
SHARE









વાંકાનેર તથા હળવદ મુકામે નવ નિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણનો સમારોહ યોજાશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, રાજકોટ વિભાગના તાબા હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર તથા હળવદ મુકામે નવનિર્મિત બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ તા.૧૫-૩-૨૪, શુક્રવાર ના રોજ યોજાવામાં આવનાર છે. તા.૧૫ના રોજ સવારે ૧૦ કલાકે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં હળવદના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ વાંકાનેર ખાતે સવારે ૧૧:૦૦ કલાકે રાજ્યસભાના સાસંદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારઘી, ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં વાંકાનેરના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.

