મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે લેબર ક્વાર્ટરમાં આગ લાગતાં દાઝી ગયેલ પાંચ પૈકીનાં વધુ બે શ્રમિકના મોત, કુલ ત્રણના મોત


SHARE

















વાંકાનેરના માટેલ રોડે લેબર ક્વાર્ટરમાં આગ લાગતાં દાઝી ગયેલ પાંચ પૈકીનાં વધુ બે શ્રમિકના મોત, કુલ ત્રણના મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં થોડા સમય પહેલા ગેસના બાટલામાં લીકેજ થવાના કારણે બંધ રૂમમાં ગેસ પ્રસરી ગયો હતો અને ત્યારબાદ લાઇટર કરતાની સાથે જ આગ લાગી હતી જે બનાવમાં કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાઝી ગયા હતા જેથી તેને સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે ત્રણ યુવાનોને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન વધુ બે યુવાનના મોત નીપજ્યું છે આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ મળીને ત્રણ યુવાનોના મોત નિપજ્યાં છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગત તા. ૯/૩ ના રોજ સવારે સાત વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ક્રેવીટા સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી અને જે ઘટનામાં બે સગા ભાઈ સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાજી ગયા હતા જેથી કરીને દાઝી ગયેલ હાલતમાં તે તમામ વ્યક્તિઓને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તા ૧૩ ના રોજ આશિષ પ્રેમકુમાર બંજારા (૨૦) રહે. હાલ ક્રેવીટા સીરામીક લેબર કોલોની માટેલ મૂળ રહે જારખુરપા જિલ્લો નરસિંહપુર મધ્યપ્રદેશ વાળાનું મોત નિપજ્યું હતું ત્યાર બાદ આ ઘટના દાઝી ગયેલ મૃતક આશિષનો સગો ભાઈ વિકાસ પ્રેમકુમાર બંજારા (૨૨) અને લક્ષ્મણ વિષ્ણુ કહાર (૨૧)નું પણ રાજકોટ ખાતે મોત નીપજયું છે જે અંગેની રાજકોટની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે લેબર ક્વાર્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી આ ઘટનામાં હજુ રિતેશ ધર્મેન્દ્રભાઈ કુશવાહા (૨૨) અને રાહુલ સુમંત બંજારા (૧૮) હાલમાં મોરબી ખાતે સારવારમાં છે આ અંગેની આગળની વધુ તપાસ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News