ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

અયોધ્યામાં બનનારા સૌરાષ્ટ્ર કડવા ભવન માટે મોરબીમાં યોજાયેલ મહાસભામાં પાટીદાર સમાજના આગેવાનો વરસી પડ્યા


SHARE











અયોધ્યામાં બનનારા સૌરાષ્ટ્ર કડવા ભવન માટે મોરબીમાં યોજાયેલ મહાસભામાં પાટીદાર સમાજના આગેવાનો વરસી પડ્યા

મોરબીના બાપાસીતારામ ચોક ખાતે ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા અયોધ્યામાં બનનાર કડવા પાટીદાર ભવનમાં આર્થિક સહયોગ માટે થઈને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા દ્વારા જમાવટ કરવામાં આવી હતી અને આ તકે ધારાસભ્ય, માજી ધારાસભ્ય અને સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને સમાજ સેવાના કામમાં મોરબીના પાટીદાર સમાજના આગેવાનો સહિતના લોકો આર્થિક રીતે વરસી પડ્યા હતા

અયોધ્યામાં તાજેતરમાં રામમંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય યોજાયો હતો ત્યારબાદ અયોધ્યામાં રામ મંદિરે ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે સમગ્ર દેશના દરેક રાજ્યમાંથી લોકો આવવાના છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી કડવા પાટીદાર સમાજના લોકો અયોધ્યા જાય ત્યારે તેઓને હેરાનગતિનો સામનો ન કરવો પડે તે માટે આગોતરું આયોજન કરતા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ દ્વારા ત્યાં ભવન બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે હાલમાં સમાજના લોકો પાસેથી આર્થિક ભંડોળ એકત્રિત કરવામાં આવી રહ્યું છે

દરમ્યાન મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક ખાતે મોરબીની ઉમિયા નવરાત્રી મહોત્સવના સૌજન્યથી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, માજી ધારાસભ્ય બાનવજીભાઇ મેલિયા, પાટીદાર સમાજના અગ્રણી જેરામભાઇ વાંસજાળિયા, ગોવિંદભાઇ વરમોરા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, વિનોદભાઇ ભાડજા, હરેશભાઈ બોપલિયા તેમજ પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા, જગદીશભાઇ પનારામ જયંતિભાઈ પડસુંબિયા સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે સૌરાષ્ટ્રના નહીં પરંતુ ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ જમાવટ કરી હતી અને લોકોને પેટ પકડીને હસાવ્યા હતા

આ સેવાના કામમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિતના પાટીદાર સમાજના આગેવાનો  અયોધ્યામાં બનનાર સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવનના કામ માટે આર્થિક રીતે વરસી પડ્યા હતા અને ગણતરીની કલાકોમાં કરોડો રૂપિયાનું ભંડોળ એકત્રિત થયું હતું આ કાર્યક્રમમાં લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર તથા કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા પણ હાજર રહેવાના હતા જોકે અન્ય કાર્યક્રમમાં રોકાયેલા હોવાથી તે મોરબીના કાર્યક્રમોમાં હાજર રહી શક્યા ન હતા અને આ કાર્યક્રમમાં મોરબી પાટીદાર સમાજના લોકો તન મન ધન થી સહયોગ આપશે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમિયા નવરાત્રી મહોત્સવ અરવિંદભાઇ બારૈયા, અનિલભાઈ વરમોરા, રિશીપભાઈ કૈલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News