મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાનમા મહિલાની સાથે દુષ્કર્મના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં દુકાનમા મહિલાની સાથે દુષ્કર્મના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીના સેસન્સ કોર્ટમાં બ્યુટી પાર્લરમા બનેલ ચકચારી ગેંગ રેપ તથા એટ્રોસીટીનો કેશ ચાલી ગયો હતો જેમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયેલ છે આ કેસની વિગત એવી છે કે, મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશને ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે, આરોપીઓને ફરીયાદી સારી રીતે ઓળખતા હોય અને આ કામના ફરીયાદી બ્યુટી પાર્લરનુ કામ કરતા હોય તેમજ અનુસુચિત જાતીના હોવાનુ જાણતા હતા છતાં તેણીને આરોપીઓએ પોતાની ઓફિસે બોલાવી તેને કોઈ નશાકારક પીણું પીવડાવી બેભાન અવસ્થામાં થઈ જતા તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે જે ફરિયાદ આધારે આરોપીઓની ધરપકડ કરેલ હતી.

આ કેસ મોરબીના બીજા એડી. ડિસ્ટ્રી. જજ વી.એ.બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો અને તમામ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા. આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદ્દન નિષ્ફળ રહેલ છે જેથી કોર્ટમાં આરોપીઓ સામે સરકાર શંકા રહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેવી દલીલ કરી હતી અને સુપ્રીમ તેમજ હાઈકોર્ટના ચુકાદા પણ રજૂ કર્યા હતા અને આરોપીઓને તદન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખીને કોર્ટે આરોપી ધરમ ઉર્ફે ટીટો પ્રવિણભાઈ ચૌહાણ, અભય ઉર્ફે અભી દિનેશભાઈ જીવાણી, યશવંત ઉર્ફે ચશ વિશ્વાસભાઈ દેસાઈ, રવિ દિલીષભાઈ ચૌહાણને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા.








Latest News