મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાનમા મહિલાની સાથે દુષ્કર્મના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE

















મોરબીમાં દુકાનમા મહિલાની સાથે દુષ્કર્મના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીના સેસન્સ કોર્ટમાં બ્યુટી પાર્લરમા બનેલ ચકચારી ગેંગ રેપ તથા એટ્રોસીટીનો કેશ ચાલી ગયો હતો જેમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયેલ છે આ કેસની વિગત એવી છે કે, મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશને ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે, આરોપીઓને ફરીયાદી સારી રીતે ઓળખતા હોય અને આ કામના ફરીયાદી બ્યુટી પાર્લરનુ કામ કરતા હોય તેમજ અનુસુચિત જાતીના હોવાનુ જાણતા હતા છતાં તેણીને આરોપીઓએ પોતાની ઓફિસે બોલાવી તેને કોઈ નશાકારક પીણું પીવડાવી બેભાન અવસ્થામાં થઈ જતા તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે જે ફરિયાદ આધારે આરોપીઓની ધરપકડ કરેલ હતી.

આ કેસ મોરબીના બીજા એડી. ડિસ્ટ્રી. જજ વી.એ.બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો અને તમામ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા. આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદ્દન નિષ્ફળ રહેલ છે જેથી કોર્ટમાં આરોપીઓ સામે સરકાર શંકા રહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેવી દલીલ કરી હતી અને સુપ્રીમ તેમજ હાઈકોર્ટના ચુકાદા પણ રજૂ કર્યા હતા અને આરોપીઓને તદન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખીને કોર્ટે આરોપી ધરમ ઉર્ફે ટીટો પ્રવિણભાઈ ચૌહાણ, અભય ઉર્ફે અભી દિનેશભાઈ જીવાણી, યશવંત ઉર્ફે ચશ વિશ્વાસભાઈ દેસાઈ, રવિ દિલીષભાઈ ચૌહાણને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા.






Latest News