મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાનમા મહિલાની સાથે દુષ્કર્મના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં દુકાનમા મહિલાની સાથે દુષ્કર્મના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીના સેસન્સ કોર્ટમાં બ્યુટી પાર્લરમા બનેલ ચકચારી ગેંગ રેપ તથા એટ્રોસીટીનો કેશ ચાલી ગયો હતો જેમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયેલ છે આ કેસની વિગત એવી છે કે, મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશને ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે, આરોપીઓને ફરીયાદી સારી રીતે ઓળખતા હોય અને આ કામના ફરીયાદી બ્યુટી પાર્લરનુ કામ કરતા હોય તેમજ અનુસુચિત જાતીના હોવાનુ જાણતા હતા છતાં તેણીને આરોપીઓએ પોતાની ઓફિસે બોલાવી તેને કોઈ નશાકારક પીણું પીવડાવી બેભાન અવસ્થામાં થઈ જતા તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે જે ફરિયાદ આધારે આરોપીઓની ધરપકડ કરેલ હતી.

આ કેસ મોરબીના બીજા એડી. ડિસ્ટ્રી. જજ વી.એ.બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો અને તમામ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા. આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદ્દન નિષ્ફળ રહેલ છે જેથી કોર્ટમાં આરોપીઓ સામે સરકાર શંકા રહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેવી દલીલ કરી હતી અને સુપ્રીમ તેમજ હાઈકોર્ટના ચુકાદા પણ રજૂ કર્યા હતા અને આરોપીઓને તદન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખીને કોર્ટે આરોપી ધરમ ઉર્ફે ટીટો પ્રવિણભાઈ ચૌહાણ, અભય ઉર્ફે અભી દિનેશભાઈ જીવાણી, યશવંત ઉર્ફે ચશ વિશ્વાસભાઈ દેસાઈ, રવિ દિલીષભાઈ ચૌહાણને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા.






Latest News