મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત જોડિયાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી પકડાયો વાંકાનેર તાલુકામાં ગેરકાયદે બ્લાસ્ટ થાય તે પહેલા SOG ત્રાટકી: 475 જીલેટીંગ સ્ટીક સહિત 3.18 લાખના મુદામલ સાથે એક પકડાયો, 12 સામે ફરિયાદ મોરબીમાં વિદેશી દારૂની 4 રેડમાં 116 બોટલ દારૂ અને 68 બીયરના ટીન સાથે 5 આરોપી ઝડપાયા: 4 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ કોમ્પલેક્ષમાં ઉપરની ઓરડી ખાતે ભાડે રહેતા અને અહીં કારખાનામાં બિલિંગનું કામ કરતા મૂળ કોડીનારના યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નીપજત્તા પોલીસને જાણ કરવામાં આવી હતી.અને બનાવના સંદર્ભે એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સિટિ એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના બસ સ્ટેશન પાસે વિવાહ સાડી શો-રૂમની ઉપરના ભાગે આવેલ ઓરડીમાં રૂમ ભાડે રાખીને રહેતા અને મૂળ કોડીનાર પંથકના ડોસાળા ગામના રહેવાસી અંકિતભાઈ કાનાભાઈ મકવાણા નામના ૨૦ વર્ષના અપરણિત યુવાને તેની ઓરડીમાં છતમાં આવેલ પંખામાં ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો.તા.૫-૪-૨૬ ના રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં મૃતક અંકિત કાનાભાઈ મકવાણા નામના યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું.બનાવની હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમાં સામે આવ્યું હતું કે મૃતક અંકિત મકવાણાના માતા-પિતા અવસાન પામ્યા બાદ તેના કાકા-કાકી ભેગા તે અને તેના બહેન મોટા થયા હતા.તેના બેન-બનેવી પણ મોરબી ખાતે રહે છે.અને અંકિત અહીં ઓરડીમાં રહેતો હતો અને તેને માનસિક બીમારી હોય અગાઉ પણ તેને જીવન ટૂકાવવાનો પ્રયત્ન કર્યો હતો.હાલ તે અહીં મોરબી ખાતે સરતાનપર રોડ ઉપર મેટ્રો સ્લીમ કારખાનામાં બીલિંગનુ કામ કરતો હોવાનું પોલિસ સુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતા ઠાકરશીભાઈ છગનભાઈ દલવાડી નામના ૪૦ વર્ષના યુવાનને ધાંગધ્રા રોડ ઉપર હોટલ નજીકથી બાઇક લઈને જતા સમયે કોઈ અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા ઇજા પામેલી હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પોલીસે બનાવની નોંધ કરી પ્રાથમિક તપાસ બાદ હળવદ પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીની પીપળીયા ચોકડી નજીક બનેલ અકસ્માત બનાવમાં ઈજા થતા હુસેન સુભાનભાઇ મોવર (૨૦) અને નવાજ આમદભાઈ ગંજી (૧૬) રહે.બંને નવલખી ને ઈજા થઈ હતી.તેઓ દહીસરાથી પીપળીયા ચોકડી થઈ નવલખી તરફ જતા હતા ત્યારે વાહન અકસ્માતમાં બંનેને ઇજા થતાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે સુરેન્દ્રનગરના થાન પાસે આવેલ મનળાસર ગામના પ્રવીણભાઈ કાનજીભાઈ સાપરા નામના ૨૩ વર્ષના યુવાને કોઈ કારણસર દવા પી લીધી હતી.જેથી કરીને તેને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે થાન પોલીસને જાણ કરી હતી.






Latest News