મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત
SHARE
મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત
મોરબીમાં આવેલ કેસર બાગમાં પાણીના ટાંકા પાસે વૃદ્ધ પડી ગયા હતા અને ત્યાર બાદ તેમનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા રાજુભાઈ ટપુભાઈ વાઘેલા (58) નામના વૃદ્ધ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેસરબાગમાં પાણીના ટાંકા પાસે હતા ત્યારે ત્યાં તેઓ અચાનક પડી ગયા હતા અને ત્યાર બાદ તેમનું મોત નીપજયું હતું જેથી તેઓના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્મૃત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી
મારામારીમાં ઇજા
મોરબી શહેરના રણછોડનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સલમાબેન ફિરોજભાઈ જેડા (29) નામની મહિલાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
મારામારીમાં ઇજા
મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા કમલેશભાઈ રમેશભાઈ દેત્રોજા (30) નામના યુવાન ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને મારામારી કરીને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને બીજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.