મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી
Breaking news
Morbi Today

વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન


SHARE











વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન

સમગ્ર વિશ્વમાં અરાજકતા અને અશાંતિ છે જેથી માનવ મનનું સુખચેન અને શાંતિ હણાય ગઈ છે. ત્યારે વિશ્વભરમાં શાંતિ સ્થાપાય અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે મોરબીમાં તા 9 એપ્રિલને ગુરુવારે સવારે 8 વાગ્યે મોરબીની દશાશ્રીમાળીવાડી ખાતે વિશ્વ શાંતિ માટે વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે નવકાર મંત્ર જાપનું આયોજન કરાયું છે.

વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિના હેતુ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા વિશ્વના 108 દેશો અને 100થી વધુ ભારતના શહેરોમાં એકીસાથે નવકાર મંત્ર જાપનું આયોજન કર્યું છે. ત્યારે મોરબીમાં તા. 9 એપ્રિલને ગુરુવારે સવારે 8 વાગ્યે મોરબીની દશાશ્રીમાળીવાડી ખાતે વિશ્વ શાંતિના અવસર પર વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે નવકાર મંત્ર જાપનું આયોજન કર્યું છે. જેથી જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થાના ચેરમેન હેમલભાઈ શાહ દ્વારા આ નવકાર મંત્ર જાપનો લાભ લેવા ધર્મપ્રેમી લોકોને નિમંત્રણ આપ્યું છે. આ આયોજનને સફળ બનાવ માટે મિહિરભાઈ દોશી, સાગરભાઇ શેઠ, બોનીભાઈ દફતરી અને નૈમિષ મહેતા સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News