ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીનાં મનોદિવ્યાંગ જય ઓરિયાને ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ મળ્યો


SHARE













મોરબીનાં મનોદિવ્યાંગ જય ઓરિયાને ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ મળ્યો

વડોદરા ખાતે ગુજરાતભરનાં સ્પેશીયલ નીડ ફિલ્ડનાં સ્પેશીયલ ચાઈલ્ડમાં મોરબીનાં જય ઓરિયાને તેમના નિરંતર પ્રયાસો વડે "બેસ્ટ સોસિયાલિઝમ" બદલ આ એવોર્ડ મળેલ છે.મનોદિવ્યાંગ ઉત્થાન ક્ષેત્રે કાર્યરત વ્યાવસાયિકો તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકો અને તેઓના વાલીઓ માટે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ભવ્ય કાર્યક્રમમાં ૧૨ જેટલી કેટેગરીના ૮૦ થી વધુ દિવ્યાંગજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં મોરબીનાં જય ઓરિયાને "ધ ગાર્ડિયન  સુપર એન્જલ એવોર્ડ" મળેલ છે.વડોદરા ખાતેનો આ કાર્યક્રમ ખુબ જ પ્રેરણાદાયી બનેલ છે.પ્રયત્નશીલ દિવ્યાંગ બાળકો તેમજ પેરેંન્ટ્સ તેમજ તે ક્ષેત્રે કાર્યરત કેટેગરીના લોકો માટે આ એવોર્ડ્સએ ગૌરવની બાબત છે.

મનોદિવ્યાંગ બાળકોનાં ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ કેટેગરીનાં શ્રેષ્ઠ લોકોને તેમનાં સેવા સમર્પણભાવને ત્યાં સન્માનીત કરવામાં આવેલ છે.ખાસ તો દિવ્યાંગ ક્ષેત્રે સુપર એન્જલ હીરોને શોધીને "ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવે છે.હાલના સમયમાં વર્તમાન જોડાણ વડે મનો દિવ્યાંગ બાળકનાં જીવનનાં સામાજિકરણ માટે મહત્ત્વપૂર્ણ છે.અનુભવોની પ્રક્રિયા દ્વારા બાળકો ઘણી પ્રગતિ સાધી શકે છે.સમયનાં પ્રવાહ મુજબ આવા બાળકોનું સામાજિકણ કરવા મનોવૈજ્ઞાનિક ટેકનિકોનો સમજપૂર્વક ઉપયોગ કરીને સારા પરિણામો મેળવી શકાય છે અને તે આજના સમયની તાતી પણ જરૂરિયાત છે.દિવ્યાંગ બાળકોનું આ સન્માન યોજવા બદલ આયોજકોનો દિવ્યાંગ બાળકોના પરિવારજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News