મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીનાં મનોદિવ્યાંગ જય ઓરિયાને ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ મળ્યો


SHARE







મોરબીનાં મનોદિવ્યાંગ જય ઓરિયાને ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ મળ્યો

વડોદરા ખાતે ગુજરાતભરનાં સ્પેશીયલ નીડ ફિલ્ડનાં સ્પેશીયલ ચાઈલ્ડમાં મોરબીનાં જય ઓરિયાને તેમના નિરંતર પ્રયાસો વડે "બેસ્ટ સોસિયાલિઝમ" બદલ આ એવોર્ડ મળેલ છે.મનોદિવ્યાંગ ઉત્થાન ક્ષેત્રે કાર્યરત વ્યાવસાયિકો તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકો અને તેઓના વાલીઓ માટે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ભવ્ય કાર્યક્રમમાં ૧૨ જેટલી કેટેગરીના ૮૦ થી વધુ દિવ્યાંગજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં મોરબીનાં જય ઓરિયાને "ધ ગાર્ડિયન  સુપર એન્જલ એવોર્ડ" મળેલ છે.વડોદરા ખાતેનો આ કાર્યક્રમ ખુબ જ પ્રેરણાદાયી બનેલ છે.પ્રયત્નશીલ દિવ્યાંગ બાળકો તેમજ પેરેંન્ટ્સ તેમજ તે ક્ષેત્રે કાર્યરત કેટેગરીના લોકો માટે આ એવોર્ડ્સએ ગૌરવની બાબત છે.

મનોદિવ્યાંગ બાળકોનાં ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ કેટેગરીનાં શ્રેષ્ઠ લોકોને તેમનાં સેવા સમર્પણભાવને ત્યાં સન્માનીત કરવામાં આવેલ છે.ખાસ તો દિવ્યાંગ ક્ષેત્રે સુપર એન્જલ હીરોને શોધીને "ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવે છે.હાલના સમયમાં વર્તમાન જોડાણ વડે મનો દિવ્યાંગ બાળકનાં જીવનનાં સામાજિકરણ માટે મહત્ત્વપૂર્ણ છે.અનુભવોની પ્રક્રિયા દ્વારા બાળકો ઘણી પ્રગતિ સાધી શકે છે.સમયનાં પ્રવાહ મુજબ આવા બાળકોનું સામાજિકણ કરવા મનોવૈજ્ઞાનિક ટેકનિકોનો સમજપૂર્વક ઉપયોગ કરીને સારા પરિણામો મેળવી શકાય છે અને તે આજના સમયની તાતી પણ જરૂરિયાત છે.દિવ્યાંગ બાળકોનું આ સન્માન યોજવા બદલ આયોજકોનો દિવ્યાંગ બાળકોના પરિવારજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News