મોરબીનાં મનોદિવ્યાંગ જય ઓરિયાને ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ મળ્યો
કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી ન માંગે તો તેનું સ્ટેજ ઉપર બોલવાનું બંધ કારવીશું: મનોજ પનારા
SHARE









કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી ન માંગે તો તેનું સ્ટેજ ઉપર બોલવાનું બંધ કારવીશું: મનોજ પનારા
કાજલ હિન્દુસ્તાની એ સુરતમાં અગાઉ યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની દીકરીઓ વિશે હલકી કક્ષાની વાત સ્ટેજ ઉપરથી કરી હતી જે બનાવ મોરબીમાં બનેલ નથી તેવા આક્ષેપ સાથે મનોજ પનારા દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે કાજલ હિન્દુસ્તાની સામે લેખિત અરજી ફરિયાદ આપવામાં આવી છે જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વર્તમાન સમયમાં જુદી જુદી જગ્યાએ યોજાતા કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા પોતાના ભાષણમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદના મુદ્દાને લઈને વાત કરવામાં આવતી હોય છે તેવી જ રીતે થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાનીને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમણે સ્ટેજ ઉપરથી જે ભાષણ આપ્યું છે તેમાં મોરબીમાં જે ઘટના બની નથી તેવી વાત તેમના દ્વારા સ્ટેજ ઉપરથી કરવામાં આવી છે અને મોરબીની દીકરીઓની બદનામી થાય તેવી હલકી કક્ષાની ટિપ્પણી કાજલ હિંદુસ્તાની દ્વારા કરવામાં આવી હોવાથી મોરબીમાં રહેતા પાટીદાર સમાજના યુવા આગેવાન અને પાસના અગ્રણી તેમજ વર્તમાન સમયમાં કોંગ્રેસના પ્રદેશના આગેવાન મનોજભાઈ પનારા દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે કાજલ હિન્દુસ્તાની સામે લેખિત અરજી ફરિયાદ આપવામાં આવેલ છે જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને કાજલ હિંદુસ્તાની પાટીદાર સમાજની જાહેરમાં માફી માંગે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે જો પાટીદાર સમાજની માફી કાજલ હિન્દુસ્તાની દ્વારા માંગવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેને સ્ટેજ ઉપર બોલવામાં પ્રતિબંધ મુકાય તે માટે થઈને હાઇકોર્ટ સુધીના દ્વાર ખખડાવશે તેવી વાત મનોજ પનારાએ કરેલ છે

