મોરબીમાં ગ્રાહકને ખરાબ ઘરઘંટી બદલ વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહી કરવાની માંગ
SHARE









મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહી કરવાની માંગ
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના પાટીદાર સમાજના આગેવાન રાકેશભાઈ છત્રોલા સહિત લોકોએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, કાજલ હિન્દુસ્તાનીએ થોડા સમય પહેલા સુરતમાં એક સામાજીક કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું જેમાં મોરબીની પાટીદાર દીકરીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. અને કાજલ હિન્દુસ્તાની પોતાની વાહ-વાહી તેમજ ટીઆરપી અને પબ્લીસીટી મેળવવા મનઘડત વાતો દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ કરતા હોય છે. જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની સામે ધોરણસરની કાર્યવાહી કરવા અને ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી છે

