મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહી કરવાની માંગ
મોરબીના રવાપર ગામે તળાવ પાસે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા મૂકી બગીચો બનાવાશે
SHARE









મોરબીના રવાપર ગામે તળાવ પાસે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા મૂકી બગીચો બનાવાશે
મોરબીના રવાપર ગામે ગોલ્ડન માર્કેટની બાજુમાં તળાવ આવેલ છે ત્યાં ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા સાથેનો બગીચો બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ખાતમુહૂર્ત ક્રાંતિકારી સેનાના યુવાનો તેમજ રવાપર ગ્રામ પંચાયત સરપંચ સહિતનાઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ બગીચામાં રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા મૂકવામાં આવશે આ તકે રવાપર ગ્રામ પંચાયતના સરપંચ નિતિનભાઈ ભટાસણા, મોરબી જિલ્લા ભાજપના મંત્રી રવિભાઈ સનાવડા, તરૂણભાઈ પેથાપરા, ભાજપ મહામંત્રી સી.ડી. રબારી, મોરબી ભાજપ જિલ્લા ઉપપ્રમુખ બચુભાઈ અમૃતિયા, માજી સરપંચ પ્રકાશભાઈ વિડજા, ગોરધનભાઈ ગડારા, ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલ, રવાપર ગ્રામ પંચાયતના ચેરમેન અજયભાઈ આહિર સહિતના હાજર રહ્યા હતા.

