મોરબીના પંચાસર નજીક પોતાના જ ખેતરના શેઢે વૃદ્ધે અજુગતું પગલું ભરી લીધું
SHARE
મોરબીના પંચાસર નજીક પોતાના જ ખેતરના શેઢે વૃદ્ધે અજુગતું પગલું ભરી લીધું
મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા વૃદ્ધએ પોતાના ખેતરના શેઢે આવેલ લીમડાના ઝાડ સાથે પોતાનું ફાળિયું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામે ચોરાની નજીક રહેતા બાવજીભાઈ મનજીભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૭૫) નામના વૃદ્ધે પોતે માનસિક ટેન્શનના કારણે પોતાની જાતે પોતાના ખેતરના શેઢે આવેલા લીમડાના ઝાડ સાથે પોતાનું ફાળિયું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના દીકરા દિનેશભાઈ બાવજીભાઈ પરમાર (૫૦) રહે. પંચાસર વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના ઢુવા પાસે રહેતા સુનિલ ખીમજીભાઈ ગોહિલ (૩૫) નામનો યુવાન લીવોન સીરામીક પાછળથી ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં તેને ઈજા થઇ હોવાથી હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં જાણ કરવા માટે તજવીજ કરેલ છે