મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત, એક સારવારમાં


SHARE







હળવદ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત, એક સારવારમાં

હળવદ નજીક ગઇકાલે મોડી સાંજે રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેક્ટર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને તેમાં બે વૃદ્ધને ગંભીર ઇજા થયેલ હતી જે પૈકીનાં એકનું મોત નીપજ્યું છે અને એક હાલમાં સારવાર હેઠળ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ નજીક શનિવારે રાતે નવેક વાગ્યાની આસપાસ નવા ધનાળા ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં ટ્રેકટર આવી રહ્યું હતું તેના ડ્રાઇવરે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગોવર્ધનભાઈ રવજીભાઈ દલવાડી (૬૮) નું મોત નીપજ્યું છે જ્યારે ત્રિભોવનભાઈ નાનજીભાઈ દલવાડી (૬૫)ને ગંભીર ઈજા થતાં તેને હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવેલ છે વધુમાં મળતી માહિતી મુજબ  ગોવર્ધનભાઈ અને ત્રિભોવનભાઈ હળવદમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે કથાની પોથીયાત્રામાં આવ્યા હતા અને ત્યાંથી બંને નવા ધનાળા પરત જતાં હતા ત્યારે ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બે પૈકીનાં એક વૃદ્ધનું મોત નીપજયું છે






Latest News