બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન અને હળવદમાં પરણીતાનો આપઘાત


SHARE











મોરબીમાં યુવાન અને હળવદમાં પરણીતાનો આપઘાત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ લાઈન્સનગર વિસ્તારમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે હળવદમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં જમ્પલાવીને પરણીતાએ આપઘાત કર્યો હતો આમ આપઘાતના બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ લાયન્સનગર શેરી નંબર ત્રણમાં રહેતા વિશાલભાઈ પરસોતમભાઈ ઈન્દરીયા જાતે દેવીપુજક (૩૬) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને ૧૦૮ મારફતે તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની મૃતકના માતા કંચનબેન પરસોતમભાઈ ઇન્દરિયા જાતે દેવીપુજક (૬૦) રહે લાયન્સ નગર વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સી.એસ. સોંદરવા ચલાવી રહ્યા છે જ્યારે હળવદમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે રહેતા કેસરબેન ઉર્ફે રાજલબેન અરવિંદભાઈ ઇટોદરા જાતે કોળી (૨૬) નામના મહિલાએ હળવદ જીઆઇડીસી પાછળના ભાગમાં આવેલ નર્મદાની કેનાલમાં જમ્પલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના બોડીને પાણીમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મુકેશભાઈ ઝીંઝુવાયા (૨૮) રહે મોરબી દરવાજા પાસે હળવદ વાળાએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે આપઘાત બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News