મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન અને હળવદમાં પરણીતાનો આપઘાત


SHARE













મોરબીમાં યુવાન અને હળવદમાં પરણીતાનો આપઘાત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ લાઈન્સનગર વિસ્તારમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે હળવદમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં જમ્પલાવીને પરણીતાએ આપઘાત કર્યો હતો આમ આપઘાતના બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ લાયન્સનગર શેરી નંબર ત્રણમાં રહેતા વિશાલભાઈ પરસોતમભાઈ ઈન્દરીયા જાતે દેવીપુજક (૩૬) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને ૧૦૮ મારફતે તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની મૃતકના માતા કંચનબેન પરસોતમભાઈ ઇન્દરિયા જાતે દેવીપુજક (૬૦) રહે લાયન્સ નગર વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સી.એસ. સોંદરવા ચલાવી રહ્યા છે જ્યારે હળવદમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે રહેતા કેસરબેન ઉર્ફે રાજલબેન અરવિંદભાઈ ઇટોદરા જાતે કોળી (૨૬) નામના મહિલાએ હળવદ જીઆઇડીસી પાછળના ભાગમાં આવેલ નર્મદાની કેનાલમાં જમ્પલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના બોડીને પાણીમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મુકેશભાઈ ઝીંઝુવાયા (૨૮) રહે મોરબી દરવાજા પાસે હળવદ વાળાએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે આપઘાત બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News