બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હાર્ટ અટેકથી યુવાનનું મોત


SHARE











વાંકાનેરમાં આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હાર્ટ અટેકથી યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી યુવાનને હાર્ટ અટેક આવી જતા તેનું હાર્ટ અટેકથી મોત થયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં આવેલ શિવાંગ ખાતે રહેતા અલીફસેનભાઈ ઈશાકભાઈ શેખ (૪૫) નામનો યુવાન વાંકાનેર નજીક આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હતો ત્યારે ત્યાં તેને હાર્ટ અટેક આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની આગળની વધુ તપાસ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહેતા કિરણભાઈ શામજીભાઈ ચાવડા નામના ૩૨ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ ભક્તિનગર સોસાયટી નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.તેને માથાના ભાગે ધોકા-પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાનું તેણે પોલીસ સૂત્રોને જણાવ્યું હતું.હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બનાવની નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

કાચ લાગતા સારવારમાં

મોરબીના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલ નજીક દેવ પેલેસમાં રહેતા અનિલભાઈ રમિતભાઈ પરિહાર નામના ૨૬ વર્ષના યુવાનને ઘરની અંદર રૂમમાં આગ લાગતા રૂમનો દરવાજો તોડીને નીકળવા જતા કાચ લાગ્યો હતો.જેથી તેને ઇજાઓ પહોંચી હતી અને તેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.






Latest News