મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હાર્ટ અટેકથી યુવાનનું મોત


SHARE













વાંકાનેરમાં આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હાર્ટ અટેકથી યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી યુવાનને હાર્ટ અટેક આવી જતા તેનું હાર્ટ અટેકથી મોત થયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં આવેલ શિવાંગ ખાતે રહેતા અલીફસેનભાઈ ઈશાકભાઈ શેખ (૪૫) નામનો યુવાન વાંકાનેર નજીક આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હતો ત્યારે ત્યાં તેને હાર્ટ અટેક આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની આગળની વધુ તપાસ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહેતા કિરણભાઈ શામજીભાઈ ચાવડા નામના ૩૨ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ ભક્તિનગર સોસાયટી નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.તેને માથાના ભાગે ધોકા-પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાનું તેણે પોલીસ સૂત્રોને જણાવ્યું હતું.હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બનાવની નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

કાચ લાગતા સારવારમાં

મોરબીના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલ નજીક દેવ પેલેસમાં રહેતા અનિલભાઈ રમિતભાઈ પરિહાર નામના ૨૬ વર્ષના યુવાનને ઘરની અંદર રૂમમાં આગ લાગતા રૂમનો દરવાજો તોડીને નીકળવા જતા કાચ લાગ્યો હતો.જેથી તેને ઇજાઓ પહોંચી હતી અને તેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.






Latest News