મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હાર્ટ અટેકથી યુવાનનું મોત


SHARE









વાંકાનેરમાં આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હાર્ટ અટેકથી યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી યુવાનને હાર્ટ અટેક આવી જતા તેનું હાર્ટ અટેકથી મોત થયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં આવેલ શિવાંગ ખાતે રહેતા અલીફસેનભાઈ ઈશાકભાઈ શેખ (૪૫) નામનો યુવાન વાંકાનેર નજીક આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હતો ત્યારે ત્યાં તેને હાર્ટ અટેક આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની આગળની વધુ તપાસ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહેતા કિરણભાઈ શામજીભાઈ ચાવડા નામના ૩૨ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ ભક્તિનગર સોસાયટી નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.તેને માથાના ભાગે ધોકા-પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાનું તેણે પોલીસ સૂત્રોને જણાવ્યું હતું.હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બનાવની નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

કાચ લાગતા સારવારમાં

મોરબીના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલ નજીક દેવ પેલેસમાં રહેતા અનિલભાઈ રમિતભાઈ પરિહાર નામના ૨૬ વર્ષના યુવાનને ઘરની અંદર રૂમમાં આગ લાગતા રૂમનો દરવાજો તોડીને નીકળવા જતા કાચ લાગ્યો હતો.જેથી તેને ઇજાઓ પહોંચી હતી અને તેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.






Latest News