મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરની સંઘવી શેરીમાં ઘરે ચક્કર આવતા પડી જવાથી આધેડનું મોત


SHARE













વાંકાનેરની સંઘવી શેરીમાં ઘરે ચક્કર આવતા પડી જવાથી આધેડનું મોત

વાંકાનેરમાં આવેલ સંઘવી શેરીમાં રહેતા આધેડ પોતાના ઘરે હતા ત્યારે ત્યાં તેને ચક્કર આવતા પડી ગયા હતા જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં દરબારગઢ રોડ ઉપર આવેલ સંઘવી શેરીમાં રહેતા સહદેવભાઈ રવિવનભાઈ ગોસાઈ (૫૨) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને ચક્કર આવતા તેઓ પડી ગયા હતા અને જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વાલજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે.
દવા પી જતા સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતો વિરેન્દ્રસિંહ ચંદ્રસિંહ જાડેજા નામનો ૩૬ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર શનાળા ગામે આવેલ સમાજ વાડી નજીક ગ્રાઉન્ડમાં અકળ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી બેભાન હાલતમાં તેને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે સારવાર કરીને આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ હોવાથી સીટી એ ડિવિઝન પોલીસ મથકના ઇન્વે.અધિકારી હરેશભાઈ ચાવડાએ આ બનાવના કારણ અંગે આગળની તજવીજ શરૂ કરી હતી.
આધેડ મહિલા સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં મસ્જિદ નજીક રહેતા ઝરીનાબેન વલીમામદભાઈ પલેજા નામના ૫૦ વર્ષીય મહિલાને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા મોડી રાત્રિના દસેક વાગ્યે સારવાર માટે લાવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને તપાસ કરી હતી






Latest News