બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયાથી સારવાર માટે ખસેડાયેલ યુવાનનું રસ્તમાં સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીના જાંબુડીયાથી સારવાર માટે ખસેડાયેલ યુવાનનું રસ્તમાં સારવાર દરમ્યાન મોત

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા યુવાનને કેન્સરની બીમારી હોય જાંબુડીયાથી ૧૦૮ મારફતે તેને મોરબી લઈને આવતા હતા ત્યારે લાલપર નજીક અચાનક દુખાવો ઉપાડતા તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા મનસુખભાઈ અવચરભાઈ વઢુરકીયા (૪૩) નામના યુવાનને કેન્સરની બીમારી હોય તેને જાંબુડીયા ગામથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જતા હતા ત્યારે લાલપર ગામ નજીક તેને અચાનક દુખાવો પડ્યો હતો અને તેનું મૃત્યુ નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર પાસે પ્રેમજીનગરમાં રહેતા કાંતિભાઈ મેરૂભાઈ ઝાલા (૩૫) યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એ.એમ. ઝાપડીયા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ શુભમ સીરામીકમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દંપતીને ઇજા થઇ હોવાથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે અને આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે પ્રિયંકાબેન શ્રીમંતસિંહ કુશવાહ અને શ્રીમંતસિંહ રામશંકર કુશવાહ નામના પતિ પત્નીને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે






Latest News