મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ આંગડિયા લૂંટના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE









મોરબીમાં થયેલ આંગડિયા લૂંટના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી સીરામીક પ્લાઝા કોમ્પલેશમાં જે.પી. આંગડિયા પેઢીમાં લૂંટનો બનાવ બનેલ હતો જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડ્યા હતા અને આ કેસ મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમા ચાલી જતાં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે

મોરબી બી ડીવી પોલીસ સ્ટેશનમાં તા ૧૯/૩/૨૦૧૬ ના રોજ ફરિયાદી એવી ફરીયાદ આપી હતી કે, બીપીન નરભેરામભાઈ પટેલ તથા ઈજા પામનાર ભરત નારણભાઈ પટેલ જે.પી. આંગડિયા  પેઢીની ઓફીસ બંધ કરી નીચે ઉતરતા હતા તે દરમીયાન ત્રીજા માળે પગથીયા ઉપર મોઢા ઉપર માસ્ક પહેર ત્રણ અજાણ્યા ઈસમો આવ્યા હતા અને આંખોમાં મરચાની ભુકી છાંટી ઈજા પામનાર સાહેદને તીક્ષ્ણ હથીયારથી ઈજા કરી હતી અને રોકડ ૧૨,૦૦,૦૦૦ ભરેલ થેલો તથા બે મોબાઈલ ફોન તેમજ ફરીયાદી સાથે જપાજપી કરી મુંઢ ઈજા કરીને રોકડ ૧૨,૦૦,૦૦૦ ભરેલ થેલો તથા બે મોબાઈલ ફોનની લુંટ કરી હતી અને આરોપીઓએ ગુનો કરી નાશી ગયેલ હતા જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી

આ કેસ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો હતો જેમાં આરોપી રાજેશ ઉર્ફે રાજૂ પ્રભુભાઈ વડાવીયા (પટેલ), જીતેન્દ્ર ભગવાનજી વડાવીયા (પટેલ), દીના ઉર્ફે દીનેશભાઈ કનૈયાલાલ અહેરવાલ વતી મોરબી જીલ્લાના વકીલ  દીલીપભાઈ અંગેચાણીયા રોકાયેલ હતા જેમાં ફરીવાદી પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોક્ટર તથા તપાસ કરનાર અધિકારી વીગેરેની જુબાની લેવામાં આવી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પણે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારે તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ આ કામે સીસીટીવી કબજે થયેલ નથી. તેમજ આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવેલ નથી. અને આરોપીઓ સામે કોઈ પુરતો પુરાવો ન હોય જેથી આરોપીઓને નિર્દોષ છોડવામાં આવે તેવી દલીલ કરી હતી જેથી બંન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના વકીલ દીલીપભાઈ અગેચાણીયાની દલીલોને માન્ય રાખીને કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર વકીલ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડીયા અને રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News