મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ આંગડિયા લૂંટના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE















મોરબીમાં થયેલ આંગડિયા લૂંટના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી સીરામીક પ્લાઝા કોમ્પલેશમાં જે.પી. આંગડિયા પેઢીમાં લૂંટનો બનાવ બનેલ હતો જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડ્યા હતા અને આ કેસ મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમા ચાલી જતાં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે

મોરબી બી ડીવી પોલીસ સ્ટેશનમાં તા ૧૯/૩/૨૦૧૬ ના રોજ ફરિયાદી એવી ફરીયાદ આપી હતી કે, બીપીન નરભેરામભાઈ પટેલ તથા ઈજા પામનાર ભરત નારણભાઈ પટેલ જે.પી. આંગડિયા  પેઢીની ઓફીસ બંધ કરી નીચે ઉતરતા હતા તે દરમીયાન ત્રીજા માળે પગથીયા ઉપર મોઢા ઉપર માસ્ક પહેર ત્રણ અજાણ્યા ઈસમો આવ્યા હતા અને આંખોમાં મરચાની ભુકી છાંટી ઈજા પામનાર સાહેદને તીક્ષ્ણ હથીયારથી ઈજા કરી હતી અને રોકડ ૧૨,૦૦,૦૦૦ ભરેલ થેલો તથા બે મોબાઈલ ફોન તેમજ ફરીયાદી સાથે જપાજપી કરી મુંઢ ઈજા કરીને રોકડ ૧૨,૦૦,૦૦૦ ભરેલ થેલો તથા બે મોબાઈલ ફોનની લુંટ કરી હતી અને આરોપીઓએ ગુનો કરી નાશી ગયેલ હતા જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી

આ કેસ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો હતો જેમાં આરોપી રાજેશ ઉર્ફે રાજૂ પ્રભુભાઈ વડાવીયા (પટેલ), જીતેન્દ્ર ભગવાનજી વડાવીયા (પટેલ), દીના ઉર્ફે દીનેશભાઈ કનૈયાલાલ અહેરવાલ વતી મોરબી જીલ્લાના વકીલ  દીલીપભાઈ અંગેચાણીયા રોકાયેલ હતા જેમાં ફરીવાદી પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોક્ટર તથા તપાસ કરનાર અધિકારી વીગેરેની જુબાની લેવામાં આવી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પણે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારે તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ આ કામે સીસીટીવી કબજે થયેલ નથી. તેમજ આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવેલ નથી. અને આરોપીઓ સામે કોઈ પુરતો પુરાવો ન હોય જેથી આરોપીઓને નિર્દોષ છોડવામાં આવે તેવી દલીલ કરી હતી જેથી બંન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના વકીલ દીલીપભાઈ અગેચાણીયાની દલીલોને માન્ય રાખીને કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર વકીલ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડીયા અને રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News