મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ  દ્વારા પારિવારિક મિલનનો કાર્યક્રમ


SHARE









મોરબી ભારત વિકાસ પરિષદ  દ્વારા પારિવારિક મિલનનો કાર્યક્રમ

ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનું પારિવારિક મિલન તાજેતરમાં રાધે ફાર્મ, ધુનાડા ખાતે યોજાયું હતું આ કાર્યક્રમ આર.એસ.એસ. મોરબી જિલ્લા સહ કાર્યવાહ પિન્ટુભાઈ મેરજા  અને રાધે ફાર્મ હાઉસના ઓનર મનસુખભાઈ પરેચાનું પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આર.એસ.એસ. રાજકોટ વિભાગ બોદ્ધિક પ્રમુખ મહેશભાઈ બોપલિયા તથા રીજીયન જનરલ સેક્રટરી સેવા વિભાગના રવિન્દ્રભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત GVCA પ્રકલ્પ સહ સંયોજક દિલીપભાઈ પરમાર તથા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત NGSC પ્રકલ્પ સહ સંયોજક ધ્રુમિલભાઈ આડેસરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પરિષદના નાના બાળકો માટે વિનોદભાઈ મકવાણા તેમજ યુવાનો માટે ડો. ઉત્સવભાઈ દવે અને મહિલાઓ માટે શાખા મહિલા સંયોજીકા દર્શનાબેન પરમાર દ્વારા અલગ અલગ રમતો રમાડવામાં આવેલ હતી અને વિજેતા થયેલ બાળકોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાખાના ઉપપ્રમુખ હરેશભાઈ બોપલીયા જેઓ મોરબી વોલ ટાઈલ્સ એશોસીએશનના પ્રમુખ તરીકે બીજી ટર્મમાં બિનહરીફ વરણી કરવામાં આવેલ છે જેથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આર.એસ.એસ. મોરબી જિલ્લાના સહ કાર્યવાહ પિન્ટુભાઈ મેરજા દ્વારા શાખાનું સમાજ અને  રાષ્ટ્ર નિર્માણમાં કેટલું મહત્વ છે એ બાબતે વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને દિલીપભાઈ પરમાર દ્વારા વર્ષ 2023/24 ના શાખાના પાંચ શ્રેષ્ઠ સભ્યોની ઘોષણા કરવામાં આવી હતી જેમાં વિનુભાઈ મકવાણા, વિપુલભાઈ અમૃતિયા, હિરેનભાઈ ધોરિયાણી, રાજેશભાઈ સુરાણી અને પરેશભાઈ મિયાત્રાનો સમાવેશ થાય છે અને તેઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાખા પ્રમુખ ડો.જયેશભાઈ પનારા દ્વારા આવતા વર્ષના કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક વિશાલભાઈ બરાસરા, પંકજભાઈ ફેફર, ધ્રુમિલભાઈ આડેસરા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News