મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ  દ્વારા પારિવારિક મિલનનો કાર્યક્રમ


SHARE















મોરબી ભારત વિકાસ પરિષદ  દ્વારા પારિવારિક મિલનનો કાર્યક્રમ

ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનું પારિવારિક મિલન તાજેતરમાં રાધે ફાર્મ, ધુનાડા ખાતે યોજાયું હતું આ કાર્યક્રમ આર.એસ.એસ. મોરબી જિલ્લા સહ કાર્યવાહ પિન્ટુભાઈ મેરજા  અને રાધે ફાર્મ હાઉસના ઓનર મનસુખભાઈ પરેચાનું પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આર.એસ.એસ. રાજકોટ વિભાગ બોદ્ધિક પ્રમુખ મહેશભાઈ બોપલિયા તથા રીજીયન જનરલ સેક્રટરી સેવા વિભાગના રવિન્દ્રભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત GVCA પ્રકલ્પ સહ સંયોજક દિલીપભાઈ પરમાર તથા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત NGSC પ્રકલ્પ સહ સંયોજક ધ્રુમિલભાઈ આડેસરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પરિષદના નાના બાળકો માટે વિનોદભાઈ મકવાણા તેમજ યુવાનો માટે ડો. ઉત્સવભાઈ દવે અને મહિલાઓ માટે શાખા મહિલા સંયોજીકા દર્શનાબેન પરમાર દ્વારા અલગ અલગ રમતો રમાડવામાં આવેલ હતી અને વિજેતા થયેલ બાળકોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાખાના ઉપપ્રમુખ હરેશભાઈ બોપલીયા જેઓ મોરબી વોલ ટાઈલ્સ એશોસીએશનના પ્રમુખ તરીકે બીજી ટર્મમાં બિનહરીફ વરણી કરવામાં આવેલ છે જેથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આર.એસ.એસ. મોરબી જિલ્લાના સહ કાર્યવાહ પિન્ટુભાઈ મેરજા દ્વારા શાખાનું સમાજ અને  રાષ્ટ્ર નિર્માણમાં કેટલું મહત્વ છે એ બાબતે વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને દિલીપભાઈ પરમાર દ્વારા વર્ષ 2023/24 ના શાખાના પાંચ શ્રેષ્ઠ સભ્યોની ઘોષણા કરવામાં આવી હતી જેમાં વિનુભાઈ મકવાણા, વિપુલભાઈ અમૃતિયા, હિરેનભાઈ ધોરિયાણી, રાજેશભાઈ સુરાણી અને પરેશભાઈ મિયાત્રાનો સમાવેશ થાય છે અને તેઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાખા પ્રમુખ ડો.જયેશભાઈ પનારા દ્વારા આવતા વર્ષના કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક વિશાલભાઈ બરાસરા, પંકજભાઈ ફેફર, ધ્રુમિલભાઈ આડેસરા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News