મોરબીમાં રહેતા યુવાનને પરણિત પ્રેમિકાએ આપી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો
મોરબી જીલ્લામાં ગૌશાળા ધરાવતા લોકો માટે નિશુલ્ક તાલીમનું આયોજન
SHARE
મોરબી જીલ્લામાં ગૌશાળા ધરાવતા લોકો માટે નિશુલ્ક તાલીમનું આયોજન
મોરબી જિલ્લામાં ગૌશાળા ધરાવતા તથા ગૌશાળા કરવા ઇચ્છુક લોકો માટે નિશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સ્નેહમિલનો કાર્યક્રમ પણ યોજાશે
આ કાર્યક્રમ તા. ૪/૪/૨૦૨૪ ને ગુરુવારે ગેલેક્સી પ્રાકૃતિક ફાર્મ, સજનપર(મોરબી) ખાતે રાખેલ છે. અને તેમાં ૬૦ થી ૭૦ વ્યક્તિઓનો સમાવેશ કરવાનો છે જેથી કરીને વહેલા તે પહેલાના ધોરણે તેમાં નામ લખાવવા આયોજકોએ જણાવ્યુ છે અને મોરબી જીલ્લામાં ગૌશાળા ધરાવતા કે ગૌશાળા કરવા ઇચ્છુક વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન ૯૪૨૬૨૩૨૪૦૦ નંબર ઉપર વોટસએપ કરીને કરાવવાનું છે અને પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા લોકો પણ આવકાર્ય છે. આ તાલીમનો સમય સવારે ૯.૩૦ થી ૧.૦૦ રહેશે. જેમાં ફિલ્મ શો, પ્રેક્ટીકલ તથા સાહિત્ય દ્વારા નિશુલ્ક તાલીમ આપવામાં આવશે અને આ તાલીમમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત, ભરત પરસાણા, પ્રાણજીવન કાલરિયા, જિલેશ કાલરિયા, ડૉ. મનુભાઇ કૈલા વગેરે હાજર રહેશે અને તેઓ જરૂરી માર્ગદર્શન આપશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે