ટંકારા તાલુકામાં પરસોતમ રૂપાલાને સભા કે રેલી નહીં કરવા દઇએ: મોરબી જિલ્લા રાજપુત કરણી સેના
SHARE
ટંકારા તાલુકામાં પરસોતમ રૂપાલાને સભા કે રેલી નહીં કરવા દઇએ: મોરબી જિલ્લા રાજપુત કરણી સેના
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાને જે વાણી વિલાસ કર્યો હતો જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ફાટી નીકળી છે અને ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા રાજપુત કરણી સેનાના પ્રમુખ દ્વારા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવારને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે અને રાજકોટ બેઠકમાં આવતા ટંકારા તાલુકામાં પરોસતમ રૂપાલાની એક પણ સભા કે રેલી થવા દેશું નહીં.
મોરબી જિલ્લાના રાજપુત કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે જો કે, હજુ સુધી તેની ટિકિટ રદ કરવામાં આવેલ નથી ત્યારે આગામી દિવસોમાં ટંકારા તાલુકામાં પરસોતમ રૂપાલાની એક પણ સભા કે રેલી થવા દેશું નહીં. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે અને જો સભા કે રેલી કરશે તો રાજપુત કરણી સેના મેદાને આવશે. અને જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી તૈયારી મોરબી જિલ્લાના રાજપુત કરણી સેનાના પ્રમુખે દર્શાવેલ છે અને સ્વાભિમાનની આ લડાઈમાં કોઈપણ સંજોગોમાં ઝુકવામાં આવશે નહીં અને પરસોતમ રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી જ માંગ કરેલ છે