મોરબીના લાલપર ગામ પાસેથી રિક્ષામાં ૧૪ બોટલ લઇને જતા બે પંટરોની ધરપકડ
મોરબીની પાટીદાર દીકરીઓ-ઉદ્યોગકારો વિષે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કોર્ટમાં બદનક્ષીની ફોજદારી ફરિયાદ: સંમેલન માટે તૈયારી
SHARE
મોરબીની પાટીદાર દીકરીઓ-ઉદ્યોગકારો વિષે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કોર્ટમાં બદનક્ષીની ફોજદારી ફરિયાદ: સંમેલન માટે તૈયારી
મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિ વિશે કાજલ હિન્દુસ્તાની દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી તેની સામે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ આપેલ છે અને આગામી દિવસોમાં હાઇકોર્ટમા જવાની પણ ચીમકી ઉચ્ચારી છે તેમજ મોરબીમાં પાટીદાર સંમેલન બોલાવવા માટે અગત્યની મિટિંગનું મોરબીમાં આયોજન કરાયું છે
થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજને દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ની લાગણી છે અને ગત શનિવારે મોરબી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને મોરબીના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાજલ હિન્દુસ્તાની ને ૪૮ કલાકનું માફી માંગવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જોકે તેના દ્વારા માફી માંગવામાં આવી નથી જેથી કરીને આજ કાજલ શિંગાળા (કાજલ હિન્દુસ્તાની) સામે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ આપેલ છે અને આજે મોરબીમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓની બેઠક બાદ પાટીદાર સંમેલન માટે લેવાશે નિર્ણય લેવાશે તેવુ આગેવાનો જણાવ્યુ છે









