મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં આગમી મંગળવારે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન


SHARE







મોરબીમાં આગામી મંગળવારે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન

મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિ વિશે કાજલ હિન્દુસ્તાની દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી તેની સામે ગઇકાલે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ આપેલ છે ત્યાર બાદ પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનોની મોરબીમાં આવેલ પટેલ કન્યા છાત્રાલય ખાતે કાલે અને આજે મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સર્વાનુમતે આગમી મંગલવારે મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે

થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજને દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ની લાગણી છે અને ગત શનિવારે મોરબી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને મોરબીના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાજલ હિન્દુસ્તાની ને ૪૮ કલાકનું માફી માંગવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જોકે તેના દ્વારા માફી માંગવામાં આવી ન હતી જેથી તેની સામે હવે કાયદેસરની કાર્યવાહી માટે ગઇકાલે કાજલ શિંગાળા (કાજલ હિન્દુસ્તાની) સામે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ આપેલ છે ત્યાર બાદ મોરબીમાં આવેલ પટેલ કન્યા છાત્રાલય ખાતે કાલે અને આજે મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સર્વાનુમતે આગમી મંગલવાર તા ૯/૪ ના રોજ મોરબીમાં રવપર રોડ ઉપર આવેલ બાપસીતા રામ ચોકમાં રાતે ૮:૦૦ વાગ્યે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં મોરબી સહિત સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો સહિતના પાટીદાર સમાજના લોકો હાજર રહેવાના છે






Latest News